નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એન ડીએ સરકારે રાજયસભામાં આરટીઆઈ એકટમાં સુધારા સૂચવતું બિલ પસાર કરાવ્યું હતું. આ મોદી સરકારની મોટી સફળતા છે. બિલને સિલેક્ટ કમિટી સમક્ષ મોકલવાના મુદે્ થયેલા મતદાનમાં 117 મતો મેળવાયાં હત. જે હાલમાં રાજયસભામાં એનડીએના સભ્યોની કુલ સંખ્યા કરતા 10 વધારે હતા. આ બિલ પસાર કરાવીને મોદી સરકારે વ્િપક્ષોને સંકેત આપી દીધો છે્કે, હવે સરકાર ઉપલા ગૃહમાં પણ વિપક્ષોની જોહુકમી સહન નહિ કરે. માનવામાં આવી રહ્યું છેકે, તીન તલાકનું બિલ રાજ્યસભામાં પસાર કરાવવા માટે પણ સરકાર આક્રમક વલણ અપનાવશે,. તીન તલાકનું બિલ પાંચ કલાકની ચર્ચા બાદ લોકસભામાં પસાર થયું હતું. સરકારના આગ્રહને કારણેસંસદનું સત્ર 7 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે.