શાહીદ કપુરનું મંતવ્યઃ દેશહિતના કે સામાજિક જાગૃતિના મુદા્ પર બનતી હિન્દી ફિ્લ્મોને લોકો તરફથી સારો આવકાર મળે છે…

0
885

 

સામાન્ય માનવીના જીવનની સમસ્યાઓની રજૂઆત કરતી હિન્દી ફિલ્મો હાલમાં સારા પ્રમાણમાં બની રહી છે. લગ્ન, શિક્ષણ, ભ્રષ્ટાચાર, પોલીસ તંત્રની કામગીરી- આવાં વિવિધ વિષયની કથાઓને પરદા પર પ્રતીતિકર લાગે તે રીતે પેશ કરવામાં આવી રહી છે. ઊડતા  પંજાબ, ટોયલેટ- એક પ્રેમકથા જેવી ફિલ્મોને સારો લોક આવકાર મળ્યો હતો. હવે શાહીદ કપુરની એક ફિલ્મ- બત્તી ગુલ, મીટર ચાલુ – વીજળીની ચોરીના સંવેદનશીલ વિષયને કથા દ્વારા રજૂ કરી રહી છે. આ ફિલ્મની સફળતા બાબત શાહીદ કપુર બહુ જ આશાવાદી છે. શાહીદ કહે છે – નાગરિક  સમસ્યાઓ વિષે જાગૃતિ કેળવવાનું કામ કરતી ફિલ્મો લોકોને અવશ્ય ગમે છે. કારણ કે લોકોને તેમાં પોતાના જીવનનું પ્રતિબિંબ દેખાય છે..વીજચોરી એ આપણા દેશની મોટી સમસ્યા છે, બત્તી ગુલ, મીટર ચાલુ ફિલ્મ વીજળીની ચોરીના મુદા્ને પેશ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here