I.N.D.I.A ગઠબંધનમાં સીટોની વહેંચણીને અંગે રાજકીય ગરમાવો

પટણા: I.N.D.I.A ગઠબંધનમાં સીટોની વહેંચણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે બિહારમાં લોકસભાની 40માંથી 10 બેઠકો પર દાવો કરતાં રાષ્ટ્રીય જનતા દળને બેઠકોની યાદી આપી હતી ત્યારે હવે ડાબેરી પક્ષ તરફથી આરજેડી અને જનતા દળ યુનાઇટેડ નેતાઓ સાથે બેઠકોનો રાઉન્ડ પણ શરૂ થયો હતો.
સીપીઆઈ મુખ્યસચિવ ડી રાજાએ એક દિવસ પહેલા જ મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. ડી રાજા પણ આરજેડી ચીફ લાલુ યાદવ અને તેજસ્વી યાદવને મળવા રાબડી દેવીના ઘરે પહોંચ્યા હતા. ડી રાજા લાલુ-તેજસ્વીને મળ્યા અને સીટ વહેંચણી તેમજ લોકસભા ચૂંટણી માટે ભારત ગઠબંધનની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. ડી રાજાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે I.N.D.I.A ગઠબંધન એક જ છે અને એક થઈને અમે ભાજપ સામે ચૂંટણી લડીશું. બીજેપી અને પીએમ મોદીની કોઈ જ ઈચ્છાઓ પૂરી થશે નહિ.
સીટ વહેંચણી અંગે ડી રાજાએ જણાવ્યું હતું કે સીટ વહેંચણી પર ચર્ચા ખૂબ જ સારા માહોલમાં થઈ હતી. તેમજ સીપીઆઈ બિહારમાં લોકસભાની ચૂંટણી લડશે. સીપીઆઈને પણ પોતાનો હિસ્સો મળશે, અમને એ બાબતનો વિશ્વાસ છે. સીટોની વહેંચણીનો મુદ્દો જલ્દી ઉકેલવાનો દાવો કરતા ડી રાજાએ કહ્યું કે અમે I.N.D.I.A એલાયન્સમાં સમજૂતી બાદ લોકસભા ચૂંટણી માટે અમારા ઉમેદવારો ઉભા કરીશું.
નીતીશ કુમાર સાથેની મુલાકાત અંગે તેમણે કહ્યું કે અમે ઘણા વિષયો પર ચર્ચા કરી. દિલ્હી જતા પહેલા તેઓ તેજસ્વી યાદવ સાથે ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા કરશે. ડી રાજાએ દાવો કર્યો કે I.N.D.I.A ગઠબંધન એક છે અને કહ્યું કે અમારી પાસે એક જ સંકલ્પ છે અને તે છે ભાજપને હરાવવાનો. જો કે બિહારમાં સીટ શેરિંગ ફોર્મ્યુલાને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે પહેલીવાર આ બેઠક યોજાઈ હતી. બેઠક પૂરી થયા બાદ બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here