અયોધ્યામાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાને નિમિત્તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશમાં રજા જાહેર કરી

ઉત્તરપ્રદેશઃ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસને ઐતિહાસિક બનાવવા માટે ખૂબ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી, મુખ્યમંત્રી યોગી સહિત દેશની અનેક જાણીતી હસ્તીઓ અને વિદેશથી પણ ભક્તો આવશે. જેને ધ્યાનમાં લઈને, અખિલ ભારતીય સંત સમિતિએ 22મી જાન્યુઆરીને સમગ્ર દેશમાં રજા જાહેર કરવાની માંગણી કરી કરતો પત્ર વડાપ્રધાન મોદીને લખ્યો હતો. રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને મુખ્યમંત્રી યોગીએ અત્યાર સુધીની સૌથી મોટી કહી શકાય તેવી જાહેરાત કરી છે. જેમાં 22 જાન્યુઆરીએ જાહેર રજાનું એલાન કરવામાં આવ્યું છે. તેમજ આ દિવસે સમગ્ર રાજ્યમાં દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અખિલ ભારતીય સંત સમિતિની, હિન્દુ સંગઠનો અને સનાતની સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકોની માંગને ધ્યાનમાં રાખીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ રાજ્યભરની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કહ્યું છે કે આ દિવસે રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે. આ દિવસને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવા તમામ સરકારી ઈમારતોને શણગારવા અને ફટાકડા ફોડવાની સૂચના પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. અયોધ્યાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી યોગીએ રામલલ્લા અને હનુમાનગઢીના દર્શન અને પૂજા કર્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં મકરસંક્રાંતિ પછી શરૂ થતી પ્રાણ પ્રતિષ્ઠાની વૈદિક વિધિની માહિતી લેતા મુખ્યમંત્રીએ સમારોહની સુરક્ષા વિશે જાણકારી મેળવી હતી. તેમજ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને જરૂરી તમામ સહયોગ આપવા અધિકારીઓને સૂચના પણ આપી હતી. આ ઉપરાંત સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી નિર્દેશો આપ્યા હતા. સમારોહ માટે આવનાર મહાનુભાવોને અયોધ્યામાં વધુ સારી સુવિધાઓ મળી રહે એવું કહેવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here