મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ પર પ્રધાનમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીનું બલિદાન લોકોની સેવા કરવા અને તેમના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે પ્રેરણા આપે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું પૂજ્ય બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. હું એ તમામ લોકોને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું જે આપણા દેશ માટે શહીદ થયા છે. તેમનું બલિદાન આપણને લોકોની સેવા કરવા માટે અને રાષ્ટ્ર માટે તેમના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે પ્રેરણા આપે છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ પર રાજઘાટ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે, સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને દેશવાસીઓના હૃદયમાં સ્વદેશીની ભાવના જગાડનારા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર તેમને શત શત નમન. ગાંધીજીના શાંતિ અને સંવાદિતાના સંદેશ આજે પણ પ્રાસંગિક છે. અને તેમના વિચારો હંમેશા દેશવાસીઓને રાષ્ટ્ર પ્રત્યે બલિદાન આપવા માટે અને સમર્પિત થવા માટે પ્રેરણા આપે છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યું કે બાપુએ બતાવેલો માર્ગ દરેક યુગમાં પ્રાસંગિક છે. તેમણે કહ્યું કે, સ્વદેશી અને આત્મનિર્ભરતા દ્વારા ભારતની આઝાદીનો માર્ગ મોકળો કરનાર સત્ય અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર હું તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેમના દ્વારા બતાવેલ માર્ગ. તેમના આદર્શો અને વિચારો હંમેશા આપણને પ્રેરણા આપતા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here