ભારત-પાકિસ્તાન સિંધુ જળ આયોગ મુદ્દે ફરી ઍક વાર થશે આમને સામને

 

ઈસ્લામાબાદઃ ભારત અને પાકિસ્તાન સિંધુ જળ આયોગ અંતગર્ત ફરી ઍકવાર વાર્તા માટે સામને-સામને હશે. પાકિસ્તાનના ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ અઠવાડિયાના અંતમાં ભારતનો પ્રવાસ કરવાના છે. વાર્તા, સિંધુ જળ કરાર અંતગર્ત જળ ભાગલાના મુદ્દા પર થશે. આ પહેલાં ભારતીય પ્રતિનિધિમંડળે સ્થાયી સિંધુ આયોગની વાર્શિક બેઠક માટે ઇસ્લામાબાદનો પ્રવાસ કર્યો હતો. સ્થાયી આયોગની બેઠક થઇ હતી અને તેના નેતૃત્વ સિંધુ જળના ભારતીય આયુક્ત પીકે સક્સેનાઍ કર્યો હતો. ૧૯૬૦ની સિંધુ જળ સંધિ અંતગર્ત ત્રણ પૂર્વી નદીઓ-સતલૂઝ, બ્યાસ અને રાવીના પાણી અપ્રતિબંધિત ઉપયોગ માટે ભારતને ફાળવવામાં આવ્યા છે. જ્યારે ત્રણ પડ્ઢિમી નદીઓ- સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનને ફાળવેલ છે. ભારતને ત્રણ પડ્ઢિમી નદીઓ પ્રોજેક્ટના માધ્યમથી જલવિદ્યુત ઉત્પન્ન કરવાનો અધિકાર છે. સંધિ અંતગર્ત પાકિસ્તાન પડ્ઢિમી નદીઓ પર ભારતીય જળવિદ્યુત પ્રોજેક્ટની ડિઝાઇન પર આપત્તિ ઉઠાવી શકે છે. ગત અઠવાડિયામાં ભારતનો પ્રવાસ કરનાર આ બીજું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ છે. આ મહિનાની શરૂઆતમાં ઍક પાકિસ્તાની પ્રતિનિધિમંડળ શંઘાઇ સહયોગ સંગઠન આરઍટીઍસની બેઠક માટે દિલ્હી આવ્યા હતા.  સિંધુ જળ આયોગની બેઠક દરમિયાન ભારતીય પક્ષે આ વાત પર ભારત મુક્યો કે તેના તમામ પ્રોજેક્ટ સિંધુ જળ સંધિની જોગવાઇનું પાલન કરે છે અને સ્થિતિના સમર્થનમાં ટેક્નિકલ વિવરણ પુરૂ પાડે છે. બંને પક્ષોઍ ફાજિલ્કા નાળાના મુદ્દા પર પણ ચર્ચા કરી અને પાકિસ્તાને આશ્વાસન આપ્યું કે સતલુજ નદીમાં ફાજિલ્કા નાળાના મુક્ત પ્રવાહને સુનિડ્ઢિત કરવા માટે તમામ જરૂરી કાર્યવાહી ચાલુ રહેશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here