રિઝર્વ બેન્ક અને સરકાર વચ્ચેનું ટેન્શન વધતું જાય છે..રિઝર્વ બેન્ક અને સરકાર વચ્ચે સુમેળભર્યા સંબંધો હોવા જરૂરી હોય છે. પરંતુ આજકાલ સરકારનું વહીવટીતંત્ર અને આરબીઆઈ- રિઝર્વ બન્ક ઓફ ઈન્ડિયા વચ્ચે પરસ્પર અહમનો ટકરાવ ચાલી રહયો છે.. રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ સરકારની નીતિ- રીતિથી નારાજ છે. રિઝર્વ બેન્કની સ્વાયત્તતા કોઈપણ ભોગે જળવાવી જોઈએ એવો એમનો મત છે…

0
987
A security guard stands in the lobby of the Reserve Bank of India (RBI) headquarters in Mumbai July 30, 2013. India's central bank left interest rates unchanged on Tuesday as it supports a battered rupee but said it will roll back recent liquidity tightening measures when stability returns to the currency market, enabling it to resume supporting growth. REUTERS/Vivek Prakash (INDIA - Tags: BUSINESS) - RTX124H0

 

દેશ સ્વતંત્ર થયા બાદ અનેક સરકારી અને ગેર-સરકારી સંસ્થાનોઅે સરકારી વહીવટીતંત્ર વચ્ચે સ્વતંત્રતા- સ્વાયત્તતાના મુદા્ઓ અંગે વિવાદ ઊભો થતો રહ્યો છે. ચાહે એ સમાજ- વિકાસ કે સામાજિક કલ્યાણનું કાર્ય કરતી ખાનગી સંસ્થા હોય કે શૈક્ષણિક સંસ્થા હોય . પંડિત જડવાહરલાલ નહેરુના વડાપ્રધાન તરીકેના શાસનકાળ દરમિયાન 1957ના સમયગાળામાં રિઝર્વ બેન્કના ચોથા ગવર્નર બેનેગલ રામા રાવ અને સરકાર વચ્ચે તીવ્ર મતભેદો ઊભા થયા હતા. જેને કારણે બેનેગલ રામારાવે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું પડયું હતું. તે વખતે ટી ટી કૃષ્ણમાચારી ભારતના નાણાંપ્રધાન હતા. તે સમયે રિઝર્વ બેન્ક અને  કેન્દ્રના નાણાંખાતા વચ્ચે મતભેદ થયો ત્યારે પંડિત નહેરુએ નાણાપ્રધાનનો પક્ષ લઈને પત્ર લખ્યો હતો. જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે, જો બેનેગલ રામા રાવને એમ લાગતું હોય કે સરકારની નીતિ અનુસાર કામ કરવું તેમના માટે શક્ય નથી તો તેઓ પોતાના પદ પરથી રાજીનામુ આપી શકે છે. નાણાપ્રધાન ટીટીકેએ રિઝર્વ બેન્કને નાણાં- મંત્ર્યાલયનો જ એક ભાગ ગણાવ્યો હતો. રાવને લખેલા પત્રમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે, રિઝર્વ બેન્ક સરકારને સલાહ આપી શકે છે, પરંતુ તેણે સરકાર સાથે તાલમેલ- સુમેળ જાળવીને જ કામ કરવું પડશે. સરકારની નીતિઓનું પાલન કરવા એ બંધાયેલી છે. રિઝર્વ બેન્ક અલગ પ્રકારની નીતિ અપનાવે, એ વાત જ હાસ્યાસ્પદ છે.રિઝર્વ બેન્ક સ્વાયત્ત ઢે, પરંતુ એ કેન્દ્ર સરકારના નેતૃત્વને આધીન છે. સરકારની મોટી નીતિઓનું એણે અનુસરન કરવું જોઈએ. રિઝર્વ બેન્ક સરકારના ઉદે્શો તેમજ નીતિઓને પડકારી ના શકે. કેન્દ્રની નીતિથી વિરુધ્ધ જઈને કોઈ નીતિ બનાવવાનો અધિકાર રિઝર્વ બેન્ક પાસે નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here