ભારતમાં મંદી આવવાની કોઇ શક્યતા નથી: નાણામંત્રી

 

નવી દિલ્હી: ભારતની અર્થવ્યવસ્થા દુનિયાના ઘણા દેશોથી સારી સ્થિતિમાં છે, પરંતુ તે ઝડપથી આગળ વધતી અર્થ વ્યવસ્થાઓમાંથી એક છે. આ વાત નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કહી હતી. તેઓ સંસદમાં મોંઘવારી પર ચર્ચા દરમિયાન વિપક્ષને જવાબ આપતા કહ્યું હતું કે ભારતમાં મંદીનો કોઈ ખતરો નથી. બ્લૂમબર્ગના સર્વે પ્રમાણે ભારતમાં મંદીની શક્યતા શૂન્ય છે. માત્ર એટલું જ નહિ નાણામંત્રીએ વિપક્ષ પર આરોપ લગાવ્યો કે મોંઘવારી પર ચર્ચા દરમિયાન માત્ર રાજકીય વાતો કરવામાં આવી. 

કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કોંગ્રેસના વોકઆઉટને યોગ્ય ગણાવ્યું. તેમણે કહ્યું કે નાણામંત્રીનો જવાબ નિરાશાજનક હતો. સરકારનું વલણ આવું છે, જેમ દેશમાં મોંઘવારી જ નથી. લોકોને કોઈ મુશ્કેલી પડી રહી નથી. જો દેશની ૧૪૦ કરોડની વસ્તીની સમસ્યાઓ પર સવાલ ઉઠાવી રહેલા વિપક્ષને લઈને તમારો આ જવાબ છે તો અમે તમને કેમ સાંભળ્યે? તો શિરોમણિ અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે કહ્યું કે મોંઘવારી પર ચર્ચા માટે સરકારે ૧૦ દિવસ અને ૧૫૦ કરોડ ‚પિયા બરબાદ કર્યાં. હવે તેમનો જવાબ પણ નિરાશ કરનારો છે. સરકારને મોંઘવારી નજર આવી રહી નથી, પરંતુ નોટબંધી અને કોવિડ લકડાઉન બાદ લોકો ખુબ પરેશાન છે. 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આપણે ક્યારેય આ પ્રકારની મોંઘવારીનો સામનો નથી કર્યો. તેના કારણે સ્થિતિ એવી બની કે આપણે બધા તે પ્રયાસમાં લાગ્યા કે વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં વધુમાં વધુ લોકોને મદદ મળે. તેમણે કહ્યું કે મેં ખુદ જોયુ હતું કે સાંસદો અને રાજ્ય સરાકારોએ તેમાં મોટી ભૂમિકા નિભાવી. નાણામંત્રીએ કહ્યું કે જો તેમ ન થાત તો ભારત પણ તે સ્થિતિમાં હોત, જે સ્થિતિમાં દુનિયાના ઘણા અન્ય દેશ છે. તેમણે કહ્યું કે હું તેનો શ્રેય દેશવાસીઓને આપીશ. આટલી વિપરીત સ્થિતિ છતાં આજે આપણે ઝડપથી વધતી અર્થવ્યવસ્થાના રૂપમાં ઓળખ બનાવી રહ્યાં છીએ. 

અત્રેઉલ્લેખનીય છે કે ઘણા દિવસના હંગામા બાદ સંસદમાં મોંઘવારી મુદ્દે ચર્ચા થઈ. ત્યારબાદ નાણામંત્રીએ આ મુદ્દે સંસદને સંબોધિત કરી. આ પહેલા દિવસે હંગામા બાદ બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. બાદમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કોંગ્રેસ સાંસદોનું સસ્પેન્સન પરત ખેંચ્યું અને પછી મોંઘવારી પર ચર્ચા શ‚ થઈ હતી. વિપક્ષ ચોમાસુ સત્ર શ‚ થતા પહેલા મોંઘવારી પર ચર્ચાની માંગ કરી રહ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here