ભારતની આક્રમક કાશ્મીર નીતિએ પાક.ને ઘૂંટણિયે પાડી દીધું: પાકે સત્ય સ્વીકાર્યું

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના ૬ વર્ષ પૂરા થયા છે. મોદીની સિક્સરમાં હવે ભ્ંધ્ પણ સામેલ થવા જઈ રહ્યું છે. ભારતે ભ્ંધ્ પર જે આકરું વલણ દેખાડ્યું છે તેનાથી પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પણ ગભરાઈ ગયા છે. બાજવા ભારતની ભ્ંધ્ પ્લાનિંગથી એ હદે ગભરાઈ ગયા છે કે તેમણે ઈદના અવસરે એલઓસીની મુલાકાત લઈ નાખી. ડરેલા બાજવાના મોઢેથી સત્ય પણ નીકળી ગયું. તેમણે કાશ્મીર પર પાકિસ્તાનના સરન્ડરનું સત્ય પોતાના સૈનિકોને પણ જણાવી દીધું. તેમણે પોતાના સૈનિકોની સામે કહ્યું કે ‘હિન્દુસ્તાને કાશ્મીરમાંથી ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ હટાવી તે બંધારણીય રીતે અને નૈતિક રીતે યોગ્ય હતું.’ 

ભારતે યુદ્ધ લડ્યા વગર જ પાકિસ્તાનને હરાવી દીધુ છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાને ભારત સામે સરન્ડર કરી નાખ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાશ્મીર નીતિએ પાકિસ્તાનને સરન્ડર કરવા માટે મજબુર કરી નાખ્યું છે. 

પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ કાશ્મીર પર સરન્ડર કરવાની વાત પોતાના સૈનિકો આગળ કબુલ કરી છે. તેમણે કહ્યું કે ભારત દુનિયાને કાશ્મીર પર પોતાની વાત સમજાવવામાં સફળ રહ્યું. જ્યારે પાકિસ્તાન કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં સદંતર નિષ્ફળ ગયું. 

પાકિસ્તાની ન્બ્ઘ્ પર પોતાના સૈનિકોને ઈદ મુબારક કહેવા પહોંચેલા જનરલ બાજવાએ એ સત્યને સ્વીકાર્યું કે દુનિયાએ કાશ્મીર પર પાકિસ્તાનની એક વાત સાંભળી નથી. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર પર રોદણા રડ્યાં. સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી પણ કાશ્મીરનો ઉલ્લેખ કર્યો પરંતુ દુનિયાએ કાશ્મીર પર ઈમરાન ખાનના કોઈ જ જૂઠ્ઠાણા પર વિશ્વાસ કર્યો નથી. અનેકવાર ઈમરાન ટ્રમ્પ આગળ પણ કરગર્યા પરંતુ ટ્રમ્પે પણ ભારતની વાત જ માની. 

કાશ્મીર પર ઈમરાન ખાન પોતાની હારની જાહેરાત તો કરી જ ચૂક્યા છે પરંતુ બાજવાએ પોતાના મોઢે સરન્ડરનું સત્ય હવે કબુલ્યુ છે. હિન્દુસ્તાને કાશ્મીર પર પાકિસ્તાનના સરન્ડરની કહાની ત્યારે જ લખી નાખી હતી જે દિવસે તેણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી હતી. મોદીએ ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને હટાવીને પ્રદેશને બંધનોમાંથી મુક્ત કર્યો. કલમ ૩૭૦ હટ્યા બાદ કાશ્મીરમાં પાકિસ્તાનના પ્રોપેગેન્ડા પર બ્રેક લાગી, કાશ્મીરમાં આતંકી ઘટનાઓ ઓછી થઈ,  કાશ્મીરમાં યુવકો આતંકી સંગઠનમાં જોડાતા બંધ થયા, કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનાઓ ઘટી અને કાશ્મીરમાં આતંકવાદીઓની બોલતી બંધ થઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here