કોરોના માટે એલિયન્સ જવાબદાર: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન

 

ઉત્તર કોરિયા: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વિચિત્ર નિર્ણયો અને નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. કિમ જોંગ ઉને કોરોના વાયરસને લઈને એક એવો દાવો કર્યો કે જે સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો. ઉત્તર કોરિયાના તાનાશાહે દાવો કર્યો કે, દેશમાં પ્રથમ કોવિડ કેસ એલિયન્સે ફેલાવ્યો છે. ઉત્તર કોરિયાએ પોતાના દાવામાં કહ્યું છે કે, એલિયન્સે દક્ષિણ કોરિયાની સરહદ નજીક એક ફુગ્ગામાં વાયરસ ફેંક્યો હતો. જેના કારણે તેમના દેશમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો. કિમ જોંગનું કહેવું છે કે તપાસ બાદ જાણવા મળ્યું છે કે, ફુગ્ગાઓમાં વાયરસ ભરીને એલિયન્સે દક્ષિણ કોરિયાની સરહદ નજીકથી તેમના દેશમાં કોરોના વાયરસ ફેલાવ્યો છે. તે જ સમયે, તેના તારણો જાહેર કર્યા પછી, ઉત્તર કોરિયાએ સીમા રેખા અને સરહદો સાથેના વિસ્તારોને પવન અને અન્ય આબોહવાની ઘટનાઓ અને ફુગ્ગાઓમાંથી આવતા વિદેશી વસ્તુઓથી સાવચેત રહેવા માટેનો આદેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here