એફટીઆઈઆઇ- ફિલ્મ એન્ડ ટેવિવિઝન ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન પદેથી અનુપમ ખેરે રાજીનામુ આપી દીધું હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. અભિનેતા ગજેન્દ્ર ચૌહાણે રાજીનામુ આપયા પછી આ પદ પર બોલીવુડના પીઢ અભિનેતા અનુપમ ખેરની નિમણુક કરવામાં આવી હતી. તેમણે પોતાનું રાજીનામું માહિતી અને પ્રસારણ પ્રધાન રાજવર્ધનસિંહ રાઠોરને મોકલી આપ્યું છે. અમેરિકામાં કોઈ શોમાં પોતે ભાગ લઈ રહ્યા હોવાથી તેમને અનિવાર્યપણે લાંબો સમય અમેરિકામાં રહેવું પડે તેમ છે. જેથી તેઓ એફટીઆઈઆઈના ચેરમેન તરીકે પોતાની કામગીરી સંભાળવા હાજર રહી શકે તેમ નથી .
ઘણા સમયથી અનુપમ ખેર ભારત બહાર હોવાને કારણે તેમની કામગીરી અંગે અનેક લોકોએ સવાલો ઊભા કર્યાહતા, જેને કારણે ખેરે આ રાજીનામું મોકલી આપ્યું હોવાનું મનાય છે.