િવશ્વમાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છેઃ WHO

નવી િદલ્હીઃ WHOએ વિશ્વભરમાં કોરોના કેસ અને વાઇરસના મૃત્યુઆંકમાં વધારાની પુષ્ટિ કરી છે. આ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમામ દેશોને કોવિડ-19 સંબંધિત સંપૂર્ણ ડેટા શેયર કરવાની અપીલ કરી છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસે કહ્યું- યુરોપમાં કોરોનાને કારણે દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, જ્યારે એશિયા અને મધ્ય પૂર્વમાં મૃત્યુઆંક વધ્યો છે.
WHO અનુસાર, માત્ર 43 દેશો જ કોવિડના કારણે મૃત્યુનો ડેટા શેર કરી રહ્યા છે. તે જ સમયે, ફક્ત 20 દેશો એવા છે જે દાખલ દર્દીઓને લગતી માહિતી આપી રહ્યા છે.
ટેડ્રોસે કહ્યું દાખલ દર્દીઓ અને મૃત્યુની સંખ્યા એ વાતનો પુરાવો છે કે કોરોના હવે આપણી વચ્ચે જ રહેવાનો છે અને આપણે તેની સામે લડવા માટે તૈયાર રહેવું પડશે. WHOએ કહ્યું કે ઉત્તરીય ગોળાર્ધમાં ઠંડી આવી રહી છે. આવી સ્થિતિમાં કોરોનાના કેસ વધી શકે છે. આ કારણોસર, હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વર્ષે મે મહિનામાં WHO દ્વારા કોરોનાને વૈશ્વિક ઈમરજન્સીમાંથી દૂર કરવામાં આવ્યો હતો. જો કે, WHOના ગવર્નર જનરલે કહ્યું હતું કે ભલે કોરોના હવે વૈશ્વિક કટોકટી નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તે હવે કોઈ ખતરો નથી. આગામી રોગચાળો વિશ્વમાં ચોક્કસપણે આવશે અને તે કોવિડ-19 કરતાં પણ વધુ ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં આપણે અત્યારથી તૈયારી કરવી પડશે.
ભારતમાં કોરોનાનો પહેલો કેસ 27 જાન્યુઆરી 2020ના રોજ જોવા મળ્યો હતો. કોવિડને કારણે વિશ્વમાં લગભગ 70 લાખ લોકોના મોત થયા છે. તેને 30 જાન્યુઆરી 2020ના રોજ વૈશ્વિક કટોકટી જાહેર કરવામાં આવી હતી. કોવિડના કારણે અમેરિકામાં સૌથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં તેનો પ્રથમ કેસ 27 જાન્યુઆરી 2020ના રોજ કેરળમાં જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here