ન્યુયોર્ક શહેરમાંથી સાધન – સંપન્ન લોકોએ સપરિવાર સ્થળાંતર કર્યું છે. તેઓ બીજા રાજ્યોમાં શિફટ થયા છે. અત્યાર સુધીમાં આશરે 4 લાખ, 20 હજાર લોકોએ ન્યુ યોર્ક છોડી દીધું છે. 1 માર્ચથી 1 મે સુધીમાં શહેરની 5 ટકાથી વધુ વસ્તી શહેર છોડીને બીજે રહેવા જતી રહી છે. ન્યુ યોર્કમાં કોરોના સંક્રમણના 3 લાખથી વધુ કેસ થયા હતા. જેમાં 28 હજારથી વધુ લોકોનાં કોરોનાને કારણે મૃત્યુ થયા હતા. અમેરિકામાં કોરોનના સંક્રમણના 15 લાખથી વધુ કેસ થયા છે અને આશરે 90 હજારથી વધુ લોકોનાં મોથ થયા હતાં.
આર્થિક રીતે અતિ સંપન્ન લોકો , જેમની વાર્ષિક આવક 16 કરોડ રૂપિયાથી વધુ છે તેવા શહેરના એક ટકા લોકો ન્યુ યોર્ક છોડી ગયા હતા, જયારે જેમની વાર્ષિક આવક 67-68 લાખ રૂપિયા છે, તેવા 80 ટકા લોકોએ શહેર છોડ્યું નથી