ભારતની ચૂંટણી પ્રક્રિયામાં કોઈ વિદેશી ભાગ લે એ આચાર- સંહિતાનું અને ભારતીય બંધારણનું ઉલંઘન કહેવાય .બાંગલાદેશનો અભિનેતા ફિરદૌસ અહેમદ ટીએમસીના ઉમેદવાર માટે જાહેરમાં પ્રચાર કરતો હતો. ચૂંટણી પ્રચારમાં કોઈ વિદેશી નાગરિકનું સામેલ થવું એ ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ છે. ભાજપે પણ એવો દાવો કર્યો હતો કે, રાય ગંજમાં લધુમતીઓના માટે ટીએમસીએ બંગ્લાદેશી અભિનેતા પાસે પ્રચાર કરાવ્યો હતો, જે ચૂંટણીની આચાર- સંહિતાનો છડેચોક ભંગ કરે છે. ભારતના ગૃહ મંત્ર્યાલયે બાંગલાદેશી અભિનેતાને નોટિસ પાઠવીને ભારત છોડી જવાનું ફરમાન કર્યું હોવાનુ સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.