દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું

નવી િદલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં મેગા ફૂડ ઈવેન્ટ ‘વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023’ના બીજા એડિશનનું ઉદઘાટન કર્યું હતું. 3 થી 5 નવેમ્બર વચ્ચે દિલ્હીના પ્રગતિ મેદાનમાં સતત બીજા વર્ષે વર્લ્ડ ફૂડ ઈન્ડિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વૈશ્વિક ઈવેન્ટ દ્વારા સરકાર ભારતનો પરંપરાગત ખોરાક વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી રહી છે, જેને રોજીંદા જીવનમાં સામેલ કરવાથી લોકો આરોગ્યપ્રદ જીવન માણી શકે. કેન્દ્રીય આયુષ મંત્રાલય વતી, દેશની તમામ આયુષ સંશોધન સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ પણ ભાગ લઈ રહ્યા છે. આ વખતે વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલમાં, ચેપી અને બિનચેપી બંને રોગોથી બચાવતો આયુષ આહાર રજુ કરવામાં આવ્યો છે. ચેન્નાઈના પંચમુત્તી દાલિયા, રાગીમાંથી બનેલા દિલ્હીના રાગી લાડુ અને જયપુરના ત્રિફલા જામનો સ્વાદ ચાખવા મળશે. કેન્દ્રીય આયુષ મંત્રાલયના જણાવ્યા મુજબ આ ફેસ્ટીવલને માટે વિશેષ બનાવવા માટે, CCRS ચેન્નાઈએ પંચમુત્તી દાલિયા, હિબિસ્કસ જામ, હિબિસ્કસ ઇન્ફ્યુઝન ટી, સફેદ જુવાર બોલ્સ, ઓક ફર્ન ટ્યુબર સૂપ, ફિંગર મિલેટ બોલ, હલીમ નાચોસ અને ભ્રિંગરાજ કન્ફેક્શનરી રજુ કર્યા છે. આ સિવાય દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદના ડોકટરોએ રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા તરફથી રાગી લાડુ, મુદગયુષા અને યવદી રોટીકા પ્રિમિક્સ જયપુર આર્યુવેદ સનાસ્થા તરફથી રાગી કૂકીઝ , શેકેલા જવ સાથે એનર્જી બૂસ્ટર જામ રજુ કરવામાં આવ્યો છે. મહોત્સવમાં પુણે સ્થિત NIN, CCRUM અને CCRAS-CARI બેંગલુરુના નિષ્ણાતો કુલ 36 પ્રકારના આહાર વિશે માહિતી આપશે. મંત્રાલયના જણાવ્યા મુજબ કે આયુષનો અર્થ માત્ર ઘરેલું ઉપચાર નથી પરંતુ તે રોગ નિવારણ, નિદાન, સારવાર અને દર્દીના ભાવિ ગુણવત્તાયુક્ત જીવન સાથે સંબંધિત છે. આયુષ આહાર માટે છ કાઉન્ટર રાખવામાં આવ્યા છે. દરેક સંસ્થા પાંચથી છ ખોરાક પ્રદર્શિત કરશે. દરેક આહાર માટે એક QR કોડ પણ છે. તે જ સમયે, સ્ટાર્ટઅપ્સ માટે છ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જેમાં 18 સ્ટાર્ટઅપ્સ અલગ-અલગ દિવસોમાં આયુષ આહાર પ્રદર્શિત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here