કોરોનાને હરાવવા મજબુત કરો રોગ પ્રતિકારક શક્તિઃ આયુષ મંત્રાલય

 

નવી દિલ્હીઃ આયુષ મંત્રાલયે કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને સ્વસ્થ રહેવા માટે મંગળવારે કેટલાક દિશા નિર્દેશ બહાર પાડ્યાં. ખાસ કરીને શ્વાસ સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યાં. આ ઉપાય આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પ્રકાશનો આધારિત છે. મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કોવિડ ૧૯ના કારણે દુનિયાભરના તમામ લોકો પ્રભાવિત છે. સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શરીરની પ્રાકૃતિક રક્ષા પ્રણાલીને મજબુત કરવી એ મહત્વની ભૂમિકા ભજવે છે. 

આયુષ મંત્રાલયે વધુમાં કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે સારવાર કરતા વધુ સારું રોકથામ છે. હજુ સુધી જો કે ઘ્બ્સ્ત્ઝ઼-૧૯ માટે કોઈ દવા નથી તો વધુ સારું એ જ રહેશે કે આપણે સુરક્ષા કારણોસર એવા પગલાં લઈએ કે જેથી આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધે. 

કેટલાક સામાન્ય ઉપાયો ગણાવતા મંત્રાલયે દિવસભર ગરમ પાણી પીવાનું, દરરોજ ઓછામાં ઓછો ૩૦ મિનિટ યોગ અભ્યાસ, પ્રાણાયામ અને ધ્યાન ધરવાની, ભોજન બનાવવા માટે હળદર, જીરૂ,ા૆ અને કોથમીર, ધાણાજીરૂ જેવા મસાલાઓનો વધુ ઉપયોગ કરવાની સલાહ આપી છે. રોગ પ્રતિકારક શક્તિ મજબુત કરવા માટે સવારે ૧૦ ગ્રામ એટલે કે એક ચમચી ચ્યવનપ્રાશ ખાવા (ડાયાબિટીસવાળા માટે શુગર ફ્રી) જેવા કેટલાક આયુર્વેદિક ઉપાયોનો ઉલ્લેખ કર્યો. 

આયુષ મંત્રાલયે દિવસમાં એક કે બે વાર હર્બલ ચા પીવી કે તુલસી, તજ, કાળામરી, સૂંઠ, અને કિશમિશનો ઉકાળો પીવો તથા ૧૫૦ મિલી ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાખીને પીવાની સલાહ આપી છે. આ ઉપરાંત સવાર સાંજ બેવાર નાકના બંને કાણામાં તલ કે નારિયલનું તેલ કે ઘી લગાવવા જેવા કેટલાક આયુર્વેદના સરળ ઉપાયો પણ જણાવ્યાં છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here