સંસદમાં વિપક્ષની ધાંધલ અને અશાંતિને કારણે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ શકતી નથી

0
956

ભારતના ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે, એમની સરકાર વિપક્ષ  દ્વારા રજૂ કરવામાં આવનારી સરકાર સામેની અવિશ્વાસની દરખાસ્ત સહિત અન્ય મુદા્ઓ વિષે ચર્ચા કરવા તૈયાર છે પણ એ માટે લોકસભાના ગૃહમાં શાંતિનું વાતાવરણ સર્જાય એ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે,લોકસભામાં ભાજપની સરકાર પાસે બહુમતી સભ્યોનો ટેકો છે, અવિશ્વાસની દરખાસ્ત અંગે સરકારને લેશ માત્ર ચિંતા નથી. આ અગાઉ લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન પણ કહી ચુક્યા છે કે ગૃહમાં શાંતિ ન હોય તો એવા ધાંધલ – ધમાલના વાતાવરણમાં પ્રસ્તાવ દાખલ ન થઈ શકે, એ અંગે સવાલ – જવાબ કે ચર્ચા કરવા માટે ગૃહમાં શાંતિ અનિવાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here