વહીદા રહેમાનને 53મા દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાશે

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે સુપ્રસિદ્ધ અભિનેત્રી સુશ્રી વહીદા રહેમાનને વર્ષ 2021 માટે દાદાસાહેબ ફાળકે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ નિર્ણયની જાણકારી આપતાં મંત્રીએ કહ્યું હતું કે, ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ આ પુરસ્કારની જાહેરાત કરીને તેમને અપાર ખુશી અને સન્માનની લાગણી થાય છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, સુશ્રી રહેમાનની હિન્દી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે વિવેચકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે, જેમાં પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌદવી કા ચાંદ, સાહેબ બીવી ઔર ગુલામ, ગાઇડ, ખામોશી અને અન્ય કેટલીક ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમની અભિનય ક્ષમતા પર, મંત્રીએ કહ્યું છે કે 5 દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં, તેમણે તેમની ભૂમિકાઓને ખૂબ જ અસરકારકતાથી રજૂ કરી છેે.રેશમા અને શેરા ફિલ્મમાં તેમની ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ અભિનયનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અપાયો હતો. પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત વહીદાજીએ સમર્પણ, પ્રતિબદ્ધતા અને ભારતીય નારીની શક્તિનું ઉદાહરણ આપ્યું છે, જે પોતાની મહેનતથી વ્યાવસાયિક ઉત્કૃષ્ટતાનું સર્વોચ્ચ સ્તર હાંસલ કરી શકે છે.
પીઢ અભિનેત્રીનો પુરસ્કાર નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાની રાહ નજીક આવે છે તેની નોંધ લેતા, મંત્રીએ જણાવ્યું હતું કે “એક સમયે જ્યારે ઐતિહાસિક નારી શક્તિ વંદન અધિનિયમ બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું છે, ત્યારે તેમને આ જીવનકાળની સિદ્ધિ પુરસ્કારથી નવાજવામાં આવી રહ્યાં છે. ભારતીય સિનેમાનાં એક અગ્રણી મહિલાને યોગ્ય સન્માન આપવામાં આવ્યું છે ,જેમણે ફિલ્મો પછી પોતાનું જીવન પરોપકાર અને સમાજના વધુ ઉત્કર્ષ માટે સમર્પિત કર્યું છે.”
69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભ દરમિયાન આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ નામ આ મુજબ છે- આશા પારેખ, ચિરંજીવી, પરેશ રાવલ, પ્રોસેનજિત ચેટર્જી, શેખર કપૂરનો સમાવેશ થાય છે.
વર્ષોથી પીઢ અભિનેત્રીએ તે પ્રાપ્ત કર્યું જે તેમના સમયની ખૂબ જ ઓછી અભિનેત્રીઓ પ્રાપ્ત કરી શકે. પોતાની અભિનયક્ષમતાથી વહીદા રહેમાને ઢગલાબંધ એવોર્ડ જીત્યા હતા. ગાઇડ (1965) અને નીલ કમલ (1968)માં તેમની ભૂમિકા માટે તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો. અભિનેત્રીએ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર (1971) પણ જીત્યો હતો અને 1972માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. બાદમાં 2011માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં..
ગુજરાત ટાઈમ્સ આ ગૌરવભર્યા પ્રસંગે આદરણીય વહીદા રહેમાનજીને શુભકામના પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here