મહિલાઓના હાથમાં પૈસા જશે તો અર્થવ્યવસ્થા આગળ વધશે: કેજરીવાલ

 

અમદાવાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા. તેમણે વૈષ્ણોદેવી સર્કલ પાસે ટાઉનહોલ અમદાવદમાં યોજાયેલ કાર્યક્રમમાં પોતાનું સંબોધન કર્યુ હતું. કેજરીવાલ કહ્યું હતું કે, આજે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી છે, તેમને પ્રણામ ક‚ં છું. પહેલા લોકો કહેતા હતા કે ગુજરાત ભાજપનો ગઢ છે, અહીં કશું થાય એમ નથી, પરંતુ અમે લોકોને મળ્યા તો ખબર પડી કે લોકો કેટલા ડરેલા છે અને કેટલા દુ:ખી છે. અમે આજે પાંચમી ગેરંટી મહિલાઓ માટે આપી રહ્યાં છીએ. ગુજરાતની ૧૮ વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને એક હજાર ‚પિયા બેંક એકાઉન્ટમાં આપીશું.

આનાથી મોટા પાયે અર્થવ્યવસ્થામાં ફરક પડશે. લોકોના હાથમાં પૈસા જશે તો અર્થવ્યવસ્થા આગળ વધશે અને અમીરોના હાથમાં પૈસા જશે તો અર્થવ્યવસ્થા કમજોર પડશે. અમારી આ ગેરંટીથી કરોડો મહિલાઓને ફાયદો થશે. કરોડો ઘરમાં એનો ફાયદો થશે. લોકો કહે છે કે પૈસૌ કયાંથી આવશે. હું તમને એક ઉદાહરણથી જણાવું કે પૈસો કયાંથી આવશે. અમે પંજાબમાં કહ્યુંં હતું કે વીજળી મફત આપીશું, ત્યારે પણ લોકોએ કહ્યું હતું કે પૈસો કયાંથી આવશે. માર્ચમાં પંજાબમાં અમારી સરકાર બની. સરકાર બન્યા બાદ રાજય સરકાર પાસે ૬ હજાર કરોડ વધુ ટેકસ આવ્યો.

અમને આખું વર્ષ વીજળી મફત કરવા માટે માત્ર ત્રણ હજાર કરોડ જોઇતા હતા અને છ હજાર કરોડનો ટેકસ રાજય સરકારને મળ્યો, ઉપરથી સરકારને ત્રણ હજારનો ફાયદો થયો. પૈસાની કમી નથી, પૈસા ખૂબ પ્રમાણમાં છે. આ લોકો બધા પૈસા પોતાના અમીર દોસ્તો પાછળ ઉડાવે છે, તેમનું દેવું માફ કરી દે છે. તેમના ટેકસ માફ કરી દે છે. જનતા પાસેથી જીએસટી લઇને તમામ પૈસા પોતાના દોસ્તો પાછળ ઉડાવી દે છે. આ સિસ્ટમ અમે બંધ કરીશું. દિલ્હીમાં સરકાર ચલાવતા મને સાત વર્ષ થયા અને હું એવું શીખ્યો છું કે સરકાર પાસે પૈસાની નહીં, પણ નિયતની કમી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here