ભૂટાનના રાજા જિગ્મે વાંગચુક ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને મળ્યા

નવી િદલ્હીઃ ભૂટાનના ત્રીજા રાજા જિગ્મે વાંગચુક ત્રણ દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની મીટિંગનો ફોટો ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. વાંગચુકની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભૂટાનના વડાપ્રધાને ગયા અઠવાડિયે ડોકલામને ત્રણ દેશોનો વિવાદ ગણાવ્યો હતો. તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન વાંગચુક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે.
અહેવાલો અનુસાર, રાજા વાંગચુક સાથે ભૂટાનના વિદેશ વેપાર મંત્રી ટેન્ડી દોરજી અને શાહી સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ પણ ભારત આવ્યા છે. ભારતની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિસ્તરણ પર વાતચીત થશે. આર્થિક સહયોગ પર વધુ ધ્યાન આપવામાં આવશે.
બેલ્જિયમની એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં થેરીંગે કહ્યું એકલા ભૂટાન ડોકલામ મુદ્દાનો ઉકેલ લાવી શકે નહીં. આ કેસમાં ત્રણ દેશો સામેલ છે. અને આ બાબતમાં કોઈ પણ દેશને નાનો ન ગણી શકાય. બધા સમાન ભાગીદાર છે. થેરીંગના આ નિવેદનથી ભારતની ચિંતામાં વધારો થયો છે. તેનું કારણ એ છે કે ભારત ડોકલામમાં ચીનના કોઈપણ દાવાને સ્વીકારતું નથી. તેમના મતે આ ભારત અને ભૂટાન વચ્ચેનો મામલો છે. ચીને આમાં દખલ ન કરવી જોઈએ. આ ભાગ ભારતના સિલિગુડી કોરિડોરમાં આવે છે, જે તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે સંવેદનશીલ માનવામાં આવે છે.
ભૂટાને 1960ના દાયકામાં આર્થિક વિકાસ માટે તેની પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરી હતી. જેનું સમગ્ર ફંડિંગ ભારતે કર્યું હતું. 2021માં, ભારત સરકારે ભૂટાન સાથે દ્વિપક્ષીય વેપાર વધારવા માટે 7 નવા વેપાર માર્ગો ખોલ્યા હતા. તે જ સમયે, ભારતે 12મી પંચવર્ષીય યોજના માટે ભૂટાનને 4500 કરોડ રૂપિયા આપ્યા હતા.
ભારતની આઝાદી બાદ બંને દેશો વચ્ચે સંધિ થઈ હતી. તેમાં ઘણી જોગવાઈઓ હતી, જેમાંથી સૌથી મહત્ત્વની હતી સંરક્ષણ અને વિદેશી બાબતોમાં ભૂટાનની નિર્ભરતા વિશે. જો કે આ સંધિમાં સમયાંતરે ઘણા ફેરફારો થયા, પરંતુ આર્થિક સહયોગને મજબૂત કરવા અને વિસ્તરણ કરવા માટે સંસ્કૃતિ-શિક્ષણ, આરોગ્ય, રમતગમત, વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની જોગવાઈઓ યથાવત રહી.
ભારતનું અરુણાચલ પ્રદેશ ભૂટાનની પૂર્વ સરહદ સાથે જોડાયેલું છે. ચીનની યોજના અરુણાચલ પ્રદેશ પર કબજો કરવાની છે, જેથી તે ભૂટાનનો પાડોશી બની જાય. ચીન ભૂટાનના પશ્ચિમ ભાગમાં વ્યૂહાત્મક બિંદુઓને જોડવા માટે પહેલાથી જ મોટા પાયા પર રસ્તાઓનું નિર્માણ કરી રહ્યું છે.
ચીન ડોકલામથી ગામોચીન સુધી તેના રસ્તાઓને વિસ્તારવા માગે છે, જે હાલમાં ભારતીય સેના દ્વારા સુરક્ષિત છે. સિલિગુડી કોરિડોરની નજીક જવાનો ચીનનો પ્રયાસ ભારત અને ભૂટાન બંને માટે સુરક્ષા માટે ખતરો છે. ચીન આ પ્રદેશમાં તેની રેલ્વે લાઈનોનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે, જે તેની સેનાને યુદ્ધના સમયમાં મોટો ફાયદો આપી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here