દેશે મોટી આર્થિક અનિશ્ચિતતા માટે તૈયાર રહેવું જોઇએઃ નીતિ આયોગની ચેતવણી

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ ચેપની બીજી લહેરને લીધે દેશમાં ગ્રાહકોની સાથે રોકાણકારોની લાગણીઓને ધ્યાનમાં રાખીને મોટી અનિશ્ચિતતા માટેની તૈયારી કરવાની જરૂર છે, અને સરકાર જરૂરિયાત મુજબ નાણાકીય પગલાં સાથે પ્રતિક્રિયા આપશે, એમ નીતી આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે રવિવારે જણાવ્યું હતું.

વધતા કોરોના વાઇરસ ચેપને કારણે હાલની સ્થિતિ ભૂતકાળની તુલનામાં ઘણી મુશ્કેલ બની હોવાનું સ્વીકારતાં કુમાર આશાવાદી રહ્યા કે ૩૧ માર્ચ, ૨૦૨૨ના અંતમાં ચાલુ નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા ૧૧ ટકાની વૃદ્ધિ કરશે. ભારત અનેક કોવિડ કેસો તેમજ સંબંધિત મૃત્યુ સાથે ઝઝૂમી રહ્યું છે, ઘણી રાજ્ય સરકારોને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા મજબૂર થઇ છે. કુમારના જણાવ્યા મુજબ ભારત કોવિડ-૧૯ને સંપૂર્ણ રીતે હરાવવાના માર્ગ પર હતું પરંતુ યુકે અને અન્ય દેશો તરફથી કેટલાક નવા સ્ટ્રેને આ સમયે પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવી છે. સર્વિસ સેક્ટર જેવા કેટલાક ક્ષેત્રો પર તેમની સીધી અસર ઉપરાંત, બીજી લહેર આર્થિક વાતાવરણમાંની અનિશ્ચિતતામાં વધારો કરશે, જેની આર્થિક પ્રવૃત્તિઓ પર વ્યાપક પરોક્ષ અસરો થઈ શકે છે. તેથી, આપણે ગ્રાહક અને રોકાણકારો બંનેમાં વધુ અનિશ્ચિતતા માટેની તૈયારી કરવાની જરૂર છે. 

શું સરકાર નવી પ્રોત્સાહન યોજના લાવવા અંગે વિચારણા કરી રહી છે કે કેમ તે અંગેના પ્રશ્નના જવાબમાં નીતિ આયોગે કહ્યું કે નાણાં મંત્રાલયે બીજી કોવિડ લહેરની સીધી અને આડકતરી અસર બંનેનું વિશ્લેષણ કર્યા પછી આ પ્રશ્નનો જવાબ આપવો પડશે. કુમારે કહ્યું, આપણે આરબીઆઈના પ્રતિસાદ પરથી જોયું છે કે, વિસ્તરણ નીતિનું વલણ ચાલુ રાખવામાં આવ્યું છે અને મને ખાતરી છે કે સરકાર જરૂરી નાણાકીય પગલાં પણ અને જ્યારે જરૂરી હોય ત્યારે જવાબ આપશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here