ખોટુ બોલવું ઍ કેજરીવાલની આદત છેઃ ભાજપ અધ્યક્ષ

 

નવી દિલ્હીઃ રામલીલા મેદાન પર ઍક સંમેલનમાં સંબોધન કરતા જે. પી. નડ્ડાઍ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર નિશાન સાધતા કહ્ના હતુ કે, જુઠ્ઠુ બોલવુ અને ખોટા આંકડા રજૂ કરવા ઍ કેજરીવાલની આદત છે. કેજરીવાલ દિલ્હીના શિક્ષણ મોડેલનો બોગસ ઢંઢેરો પીટી રહ્ના છે. દિલ્હીમાં સ્કૂલો નથી, ક્લાસરૂમ નથી, કોર્સ નથી. ગોટાળાના કારણે તેમના ત્રણ મંત્રીઓ જેલમાં છે. જેલ અને બેલ વચ્ચે ફરી રહેલા લોકો તેમના ધારાસભ્યો છે. વધુમાં નડ્ડાઍ કહ્ના હતુ કે, કેજરીવાલ સરકારે દિલ્હીમાં ગોટાળા પર ગોટાળા કર્યા છે. દિલ્હીને બેહાલ કરી દેનાર કેજરીવાલને જવુ પડશે અને ભાજપે આવવુ પડશે. દિલ્હીમાં દારૂ પોલિસીમાં મહોલ્લે મહોલ્લે દારૂ પહોંચાડવામાં આવ્યો હતો અને તેમાં ૬ ટકા કમિશન ખાવામાં આવ્યુ હતુ. કમિશન ખાવામાં કેજરીવાલે કોંગ્રેસને રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. દિલ્હીમાં કેજરીવાલે ગરીબ લોકોને આયુષ્માન ભારત યોજનાનો ફાયદો લેવા દીધો નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઍ અમને શીખવાડ્યું છે કે, કામ અને વિકાસ થકી જનતાને ભાજપ સાથે જોડવાની છે.

નડ્ડાઍ કહ્ના હતુ કે, અમે ઍક સંવિધાન, ઍક દેશ તેમજ ઍક નિશાનનો નારો સાચો પાડીને બતાવ્યો છે. અમારી ઍક માત્ર પાર્ટી છે જે પોતાના વિચારોને વળગી રહી છે. જેનો આધાર જ જનાધાર છે. અમે રાષ્ટ્રીયથી માંડીને સ્થાનિક સુધીની ચૂંટણીઓ જીતતા આવ્યા છે. કોવિડ સમયે ભાજપના જ કાર્યકરોઍ જમીન પર ઉતરીને લોકોની સેવા કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here