કોરોના વેક્સિનને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપી મોટી ચેતવણી

 

નવી દિલ્હીઃ કોરોના સંકટમાં આગામી કેટલાક મહિનાઓ સુધી રાહત મળવાની આશા નથી. ભલે વેક્સિન માર્કેટમાં આવી ન જાય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (who)નું માનવું છે કે, વેક્સિન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ નહિ થાય કે તમામને ટીકા લગાવી શકાય. તેથી કોરોનાનો ખતરો તો યથાવત જ રહેશે. who ઈમરજન્સી એક્સપર્ટસ માઈક રેયાને બુધવારે જણાવ્યું કે, વેક્સિન આટલી માત્રામાં ઉપલબ્ધ નહિ થાય કે તમામને લગાવી શકાય. આપણે કોરોનાના પ્રસારને રોકવા માટે હાલના ઉપાયોને ચાલુ રાખવા પડશે. 

સોશિયલ મીડિયા ઈવેન્ટમાં બોલતા માઈક રેયાને કહ્યું કે, વેક્સિન તૈયાર થયા બાદ પણ આપણે તેવી આશા ન રાખવી જોઈએ કે કોરોનાનો ખતરો ઓછો થઈ જશે. કેમ કે, શરૂઆતમાં પર્યાપ્ત સંખ્યામાં વેક્સિનું ઉત્પાદન મુશ્કેલ છે. તેથી કોરોનાથી બચવા માટે આપણે સોશિયલ ડિસ્ટન્સિગ, માસ્ક લગાવવા જેવા ઉપાયોનો અમલ ચાલુ રાખવો જોઈએ. 

તેઓએ વધુમાં કહ્યુ કે, સંક્રમણ ફેલાવાથી રોકવા માટે આગામી ત્રણ થી ૬ મહિના આપણને વેક્સિન નહિ મળી શકે. whoએ નવેમ્બરના મધ્ય સુધી હ્યુમન ટ્રાયલ સ્ટેજમાં ૪૯ કેન્ડીડેટ વેક્સિનની ઓળખ કરી છે. બ્રિટન દ્વારા ફાઈઝર અને બાયોટેકની કોરોના વેક્સિનના ઉપયોગને મંજૂરી આપ્યા બાદ ખુશી જાહેર કરતા રેયાને કહ્યું કે, આ બહુ જ સારા ખબર છે, પરંતુ આપણે રોકાવું ન જોઈએ. આપણે ૩-૪ વેક્સિન વધુ જોઈએ. 

વેક્સિનની કિંમત પર બોલતા તેઓએ કહ્યું કે, આપણે ઉત્પાદન વધારવા અન કિંમત ઓછી રાખવાની જરૂર છે. આપણે વન ડોઝ વેક્સિન જોઈએ. whoએ કહ્યું કે, લોકોને માસ્ક પહેરવાની અપીલ પણ કરવી જોઈએ. સ્વાસ્થ્ય સંસ્થાનું કહેવું છે કે, કોરોના સંક્રમણને સીમિત કરવા માટે હાલના ઉપાયો ચાલુ રાખવા જોઈએ. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here