ઓપરેશન કાવેરીઃ સુદાનમાં ફસાયેલ ૨૭૮ ભારતીયોને લઈ INS સુમેઘા રવાના

સુદાનઃ સુદાનમાં ફસાયેલા 278 ભારતીયોની પ્રથમ બેચ INS સુમેધા દ્વારા ઓપરેશન કાવેરી હેઠળ જિદ્દાહ રવાના થયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ મામલે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે ઓપરેશન કાવેરી હેઠળ બચાવવામાં આવેલા આ લોકોની તસવીર અને વીડિયો પણ ટ્વિટ કરીને રજૂ કર્યા હતા. સુદાનમાં ફસાયેલા ભારતીયો સહિત અન્ય વિદેશી નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. ભારતીયોની પ્રથમ બેચ સુદાનથી રવાના થઈ છે. ભારતીય યુદ્ધ જહાજ INS સુમેધા 278 લોકો સાથે જિદ્દાહ માટે રવાના થયું હતું. ભારત સરકારે પોતાના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. આ અંગે માહિતી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું ક,ે અમારી પ્રાથમિકતા અમારા લોકોને સુરક્ષિત લાવવાની છે અને તેનું અભિયાન શરૂ થઈ ગયું છે. સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ વચ્ચે ત્રણ દિવસીય યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.
આફ્રિકન દેશ સુદાન હાલમાં ગૃહયુદ્ધની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 400થી વધુ લોકોના મોત થયા છે. ભારત સહિત ઘણા દેશોના નાગરિકો ત્યાં ફસાયેલા છે. દરમિયાન, ભારતે સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા અને દેશમાં પાછા લાવવા માટે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટર પર આ માહિતી આપી હતી.
સુદાનમાં ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વાયુસેનાના બે C-130 વિમાન અને નેવીનું INS સુમેધા સાઉદી અરેબિયા અને સુદાન પહોંચ્યા હતા. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટ કર્યું કે, સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરુ કરવામાં આવ્યું છે. લગભગ 500 ભારતીયો સુદાન પોર્ટ પહોંચ્યા છે. ભારતીયોની બચાવ કામગીરી શરુ છે. ભારતીય જહાજો અને વિમાન તેમને ઘરે લઇ જશે. ભારત સુદાનમાં આપણા તમામ ભાઈઓને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારત ઉપરાંત ઘણા દેશો સુદાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. અત્યાર સુધી અમેરિકા, બ્રિટન સહિત 9 દેશોએ તેમના રાજદ્વારીઓને બચાવ્યા છે.
અમેરિકા અને સાઉદી અરેબિયાના પ્રયાસોને કારણે આગામી ૭૨ કલાક સુધી સુદાનમાં ગૃહયુદ્ઘ અટકી થશે. બીજી તરફ, ઓપરેશન કાવેરીએ ૪,૦૦૦ ભારતીયોને બહાર કાઢવાનું શરૂ કર્યુ છે. આ વિશે માહિતી આપતા પ્રધાનમંત્રી મોદીએ કહયું કે અમારી પ્રાથમિકતા અમારા લોકોને સુરિક્ષત લાવવાની છે અને તેનું અભિયાન શરૂ થઇ ગયું છે. સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ઘ વચ્ચે ત્રણ દિવસીય યુદ્ઘવિરામની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યું કે પ્રથમ બેચમાં ૨૭૮ ભારતીયોને દેશમાં પાછા લાવવામાં આવી રહ્યાં છે. આ માટે નેવીનું જહાજ આઇએનએસ સુમેધા પોર્ટ સુદાનથી સાઉદી અરેબિયાના જેદાહ માટે રવાના થયું છે. ત્યાંથી આ નાગરિકોને એરલિફટ કરવામાં આવશે. સુદાનમાં પેરામિલિટરી ફોર્સ અને સેના વચ્ચે ૧૦ દિવસથી યુદ્ઘ ચાલુ છે. બંને સત્તા કબજે કરવા માંગે છે. યુદ્ઘમાં ૪૨૭ લોકો અને સૈનિકોના મોત થયા છે. તેને જોતા ભારત સહિત ઘણા દેશો ત્યાંથી પોતાના નાગરિકોને બહાર કાઢી રહ્યાં છે. આ યુદ્ઘવિરામ સતત બે દિવસ સુધી ચાલેલી વાતચીતનું પરિણામ છે. બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરવામાં આવશે. જયારે, બાકીના દેશો સુદાનમાંથી તેમના નાગરિકોને બહાર કાઢવા માટે કામગીરી ચલાવી રહ્યાંં છે. યુએન અનુસાર, આ લડાઇમાં અત્યાર સુધીમાં ૪૨૭ લોકોના મોત થયા છે. જયારે ૩૭૦૦ લોકો ઘાયલ છે. લેખિત જાહેરાતમાં, આરએસએફએ કહ્યું કે સુદાનમાંથી લોકોને બહાર કાઢવાની અને નાગરિકો બહાર કાઢવા માટે અસ્થાયી રૂપે લડાઇ રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન લોકો હોસ્પિટલો અને જરૂરિયાતના સ્થળોની મુલાકાત લઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here