અઝીમ પ્રેમજીને મળશે યશવંતરાવ ચવ્હાણ એવોર્ડ

 

મુંબઈ: વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીને પ્રતિષ્ઠિત યશવંતરાવ ચવ્હાણ નેશનલ એવોર્ડ આપવામાં આવશે. તેમના વ્યાવસાયિક અને સમાજસેવાના કામને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. તેમના નામની જાહેરાત ડો. અનિલ કાકોડકર દ્વારા કરવામાં આવી હતી. તેઓ એવોર્ડ સમિતિના અધ્યક્ષ છે. આવતા વર્ષે સ્વ. યશવંતરાવ ચવ્હાણના જન્મદિને એટલે કે ૧૨ માર્ચે એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ એવોર્ડમાં પ્રશસ્તિચિહ્ન અને રૂપિા પાંચ લાખ રોકડા આપવામાં આવે છે. યશવંતરાવ ચવ્હાણ રાજ્ય કક્ષાનો એવોર્ડ જાણીતા મરાઠી સાહિત્યીક મધુ મંગેશ કર્ણિકને આપવામાં આવ્યો છે. આ એવોર્ડ શરદ પવાર દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. ચવ્હાણની પૂણ્યતિથી પ્રસંગે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here