તાજેતરમાં અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી વર્લ્ડ ફેક્ટબુકમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળને ધાર્મિક ઉગ્રવાદી સંગઠન તરીકે ઓળખાવવામાં આવ્યા હતા. બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદના સમર્થકોના ધ્યાનમાં આ વાત આવતાં તેમણે આ બાબત કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. અે અંગે કાનૂની વિશેષજ્ઞોની સલાહ લેવામાં આવી રહી છે.