વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમથી ઉજવાયો

નડિયાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સહિત તાબાના મંદિરોમાં ભાદરવા સુદ-૧૧ એકાદશીના રોજ જલઝીલણી એકાદશીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સાત સાત દિવસથી મોંઘેરા મહેમાન બનેલા વિઘ્નહર્તા દુંદાળા દેવનું આન-બાન અને શાન સાથે વિર્સજન યાત્રા બેન્ડવાજા તથા નાસિક ઢોલના તાલે ગણપતિ બાપા મોર્યા, પુઢચા વરસે લોકરિયાના ડી.જે.ના તાલે ભાવભેર વિદાય આપવામાં આવી હતી.
ભાદરવી એકાદશીના શુભદિને બપોરના ૧ર કલાકે મંદિરના ઘુમ્મટમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ વતી પૂ. લાલજી મહારાજ પૂ. સૌરભપ્રસાદજી તથા જલઝીલણી મહોત્સવના યજમાન સંધાણાના ચીમનભાઈ પટેલ પરિવારના સભ્યો દ્વારા શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા ગણપતિદાદાનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન-આરતી બાદ ગણપતિદાદાને વાજતે ગાજતે શણગારેલા ટ્રેક્ટરમાં બિરાજમાન કરાયા હતા. અને સાથે શ્રીહરિકૃષ્ણ મહારાજની મૂર્તિને બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદ, તથા અન્ય ભુદેવો ધ્વારા મુકવામાં આવી હતી. મંદિરના ચોગાનમાં હરિભક્તોનું કીડીયાળું ઉભરાયું હોય તેમ હૈયે હૈય ુંભીંસાઈ તેટલા હરિભક્તો ગણપતિ બાપ્પા મોર્યાના જયઘોષ સાથે બેન્ડવાજા, તથા ડી.જે.ના તાલે વાજતેગાજતે ગણપતિ દાદાની વિસર્જન યાત્રા તથા જલઝીલણી એકાદશીની શોભાયાત્રા નીકળી હતી.
શણગારેલા ટ્રેક્ટરોમાં સંતો, મહંતો બેઠા હતા. આ શોભાયાત્રા વડતાલ મંદિરથી રાજમાર્ગો પર ફરી ગોમતી કિનારે પહોંચી હતી. જ્યાં ગોમતી કિનારે તૈયાર કરાયેલ સ્ટેજ પર પૂ. લાલજી મહારાજ તથા સંપ્રદાયના વરિષ્ઠ સંતો તથા જલઝીલણી એકાદશીના યજમાન પરિવારના સભ્યો ધ્વારા ગણપતિ દાદા તથા શ્રીહરિનું પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરના ભુદેવ ધીરેનભાઈ ભટ્ટ ધ્વારા હરિકૃષ્ણ મહારાજનું પૂજન તથા કેસર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાન શ્રીહરિને ગોમતીજીમાં નૌકાવિહાર કરાવવામાં આવી હતી. જ્યારે પૂ. લાલજી મહારાજ, સંતો અને યજમાન પરિવાર ધ્વારા આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ બાળધૂન મંડળના ભૂલકાંઓ ધ્વારા સુંદર નૃત્ય રજુ કરી ઉપસ્થિત સંતો-હરિભક્તોના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે પૂ. લાલજી મહારાજ, સત્સંગ મહાસભાના પ્રમુખ શા. નૌતમપ્રકશદાસજી, પૂ. નીલકંઠચરણ સ્વામી, તથા વડતાલ મંદિરના કોઠારી ડો. સંતવલ્લભ સ્વામીએ પ્રાસંગીક ઉદ્‌બોધન કરી આર્શીવચન પાઠવ્યા હતા. ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, પુ. ગોવિંદ સ્વામી – મેતપુરવાળા, પુ. શ્રીવલ્લભ સ્વામી, વિરસદ, પીજ, વિદ્યા નગર, વગેરે જગ્યાએ સંતો ઉપસ્થિત રહ્યા હતા. પાંચ આરતી બાદ હરિભક્તોને ૬૦૦ કિલો કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોએ ગોમતીજીમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ. શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here