મહાત્મા ગાંધીના પૌત્ર અરૂણ ગાંધીનું 89 વર્ષની ઉંમરે અવસાન

કોલ્હાપુરઃ મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણિલાલ ગાંધીનું 89 વર્ષની વયે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તુષાર ગાંધીએ જણાવ્યું કે તેમના પિતાના અંતિમ સંસ્કાર કોલ્હાપુરમાં કરવામાં આવશે. અરુણ મણીલાલ ગાંધી મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર છે. તેમનો જન્મ 14 એપ્રિલ 1934ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયો હતો. તેમના પિતા અહીં પ્રકાશિત થતા અખબાર ઈન્ડિયન ઓપિનિયનના સંપાદક હતા. અરુણ ગાંધીએ પાછળથી તેમના દાદાના માર્ગને અનુસર્યો અને સામાજિક-રાજકીય મુદ્દાઓ પર કાર્યકર્તા તરીકે કામ કર્યું હતું. અરુણ ગાંધીએ કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. તેમાંથી મારા દાદા મહાત્મા ગાંધીના ગુસ્સાની ભેટ: અને અન્ય પાઠ મુખ્ય છે. અરુણ ગાંધી 1987માં પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. અહીં તેમણે તેમના જીવનના ઘણા વર્ષો મેમ્ફિસ, ટેનેસીમાં વિતાવ્યા. અહીં તેમણે ક્રિશ્ચિયન બ્રધર્સ યુનિવર્સિટીમાં અહિંસા સંબંધિત સંસ્થાની પણ સ્થાપના કરી હતી. વરૂણ ગાંધીના અવસાનથી સમગ્ર દેશમાં અને ગાંધી વાદીઓમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here