તણાવ છતાં ભારતીય સેનાએ ચીનને યાક અને વાછરડા પરત કર્યાં

Indian Army soldiers participate in a war exercise during a two-day "Know Your Army" exhibition in Ahmedabad, India, August 19, 2016. REUTERS/Amit Dave

 

લદાખઃ લદાખમાં વધતા તણાવ છતાં ભારતીય સેના ચીનની મદદ કરી રહી છે. ભારતના જવાનોએ ફરી એક વખત માનવતા દેખાડતા સોમવારે વાસ્તિવક નિયંત્રણ રેખા (એલએસી) નજીક રસ્તો ભૂલી ગયેલા ચીની યાક અને તેના વાછરડાઓને ચીનને સોંપ્યા હતા. 

સેનાએ ટ્વીટ કરી કહ્યું હતું, માનવતા દેખાડતા રસ્તો ભૂલી ગયેલા ૧૩ યાક અને તેમના ૪ વાછરડાઓને ૭ સપ્ટમ્બરના રોજ ચીનને સોંપવામાં આવ્યા હતા. આ સમસ્ત પશુઓ ૩૧ ઓગસ્ટના રોજ એલએસી પાર કરી અરુણાચલ પ્રદેશના ઈસ્ટ કામેંગ પહોંચી ગયા હતા. ચીની અધિકારીઓએ આ માટે તેમનો આભાર માન્યો હતો.

આ પહેલાં પણ ભારતીય સેનાએ રસ્તો ભૂલી ગયેલા ૩ ચીની નાગરિકોની મદદ કરી હતી. ૩ સપ્ટેમ્બરના રોજ સિક્કિમના ઉત્તરી વિસ્તારમાં આશરે ૧૭,૫૦૦ ફીટની ઉંચાઈ પર ચીની નાગરીક રસ્તો ભૂલી ગયેલા. તેમનો જીવ જોખમમાં જોતા ભારતીય જવાનો તુરંત ત્યાં પહોંચ્યા હતા અને તેમને ઓક્સીજન અને અન્ય તબીબી મદદ કરી હતી. તેમને ભોજન અને ગરમ કપડાંઓ પણ આપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here