કોરોનાના ઈલાજ દરમિયાન દર્દીઓની સંખ્યા પણ 117 દિવસ બાદ નીચલા સ્તરે આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોરોનાના 30,093 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી સાજા થયેલી વ્યક્તિઓની ટકાવારી પણ 97.37 ટકા થઈ છે. વળી દેશમાં રસીકરણ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. અત્યારસુધીમાં 41-18 કરોડ લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા. માત્ર ચિંતાની વાત એ છે કે, દેશમાં કોરોનાના દૈનિક સંક્રમણનો દર ઘટીને 3 ટકાથી પણ ઓછો થયો છે, ત્યારે કેરલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એક સપ્તાહમાં રોજ 10, 000થી વધુ કેસ સામે આવી રહ્યા છે.