ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ ગુજરાત પ્રદેશ કોંગ્રસને વિખેરી નાખી છે. હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સિવાય કોઈ પદાધિકારી રહ્યા નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં વિખવાદ અને જૂથબંધી વકરી રહી હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે. નવા માળખાની જાહેરાત અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી