RBIએ રેપોરેટમાં કર્યો વધારો, તમારા EMIમા થશે વધારો 

A security guard stands in the lobby of the Reserve Bank of India (RBI) headquarters in Mumbai July 30, 2013. India's central bank left interest rates unchanged on Tuesday as it supports a battered rupee but said it will roll back recent liquidity tightening measures when stability returns to the currency market, enabling it to resume supporting growth. REUTERS/Vivek Prakash (INDIA - Tags: BUSINESS) - RTX124H0

 

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓગસ્ટ ૨૦૨૨ની બેઠક પૂરી થઈ. બેઠક બાદ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે ગ્લોબલ સ્તર પર મોંઘવારી ચિંતાનો વિષય છે. આ કારણે MPCનાતમામ સભ્યોએ સર્વસંમતિથી રેપોરેટમાં ૫૦ બેસિસ પોઈન્ટ વધારવાનો નિર્ણય લીધો છે. RBIના રેટ વધવાથી બેંકોના તમામ લોન મોંઘા થઈ જશે. જેની અસર હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના ઈએમઆઈ ઉપર પડશે. એનો અર્થ એ કે તમારે લોન રિપેમેન્ટ માટે વધુ માસિક વધુ હપ્તો ચૂકવવો પડી શકે છે. 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની RBI MPC Meeting ઓગસ્ટ ૨૦૨૨ની બેઠક પૂરી થઈ. ત્રણ દિવસની બેઠક બાદ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે ગ્લોબલ સ્તર પર મોંઘવારી ચિંતાનો વિષય છે. આ કારણે MPCનાતમામ સભ્યોએ સર્વસંમતિથી રેપોરેટમાં ૫૦ બેસિસ પોઈન્ટ વધારવાનો નિર્ણય લીધો છે. RBI રેટ વધવાથી બેંકોના તમામ લોન મોંઘા થઈ જશે. જેની અસર હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના ઈએમઆઈ ઉપર પડશે. એનો અર્થ એ કે તમારે લોન રિપેમેન્ટ માટે વધુ માસિક વધુ હપ્તો ચૂકવવો પડી શકે છે. 

આરબીઆઈએ રેપોરેટમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ હવે રેપોરેટ વધીને ૫.૪૦ ટકા થયો છે. આઠ જૂને થયેલી ગત નીતિગત જાહેરાતમાં પણ રેપોરેટમાં અડધા ટકાનો વધારો કરાયો હતો. જેનાથી રેપોરેટ વધીને ૪.૯૦ ટકા થયો હતો. હાલમાં જ અમેરિકી ફેડરલ રિઝર્વએ પણ વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. જેને પગલે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી કે આરબીઆઈ પણ વ્યાજ દરમાં વધારાનો નિર્ણય લેશે. ભારતીય રિઝર્વ બેંકે મોંઘવારીમાં ઘટાડો કરવા માટે રેપો રેટમાં આ વધારો કર્યો છે. 

રેપો રેટ એ દર છે જેના પર બેંકો આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લે છે. જ્યારે બેંકો માટે ઉધારી મોંઘી થાય છે ત્યારે તેઓ ગ્રાહકોને પણ વધુ દર પર લોન આપે છે. જેનો સીધો અર્થ એ છે કે રેપો રેટ વધવાથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન જેવા કરજ મોંઘા થશે. આ ઉપરાંત ગ્રાહકોને તેમની ડિપોઝિટ પર અપાતા વ્યાજનું નિર્ધારણ પણ મોટાભાગે રેપો રેટથી જ થાય છે. એટલે કે રેપોરેટમાં વધારો થતા બેંક એફડી ઉપર પણ વ્યાજ દરોમાં વધારો કરે છે. 

ભારતીય રિઝર્વ બેંક મોંઘવારીને કાબૂમાં લેવા માટે રેપો રેટમાં વધારો કરે છે. એ જ રીતે આરબીઆઈ મૌદ્રિક નીતિને ટાઈટ કરીને માંગને નિયંત્રણમાં લાવવાનું કામ કરે છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ ગ્રાહક મૂલ્ય સૂચકઆંક પર આધારિત મોંઘવારીમાં મામૂલી ઘટાડો આવ્યો છે. અમેરિકામાં મોંઘવારી હાલના સમયમાં ૪૦ વર્ષના સૌથી ઉચ્ચસ્તરે છે. આ મોંઘવારીને ઓછી કરવા માટે ફેડરલ રિઝર્વ સતત વ્યાજદરમાં વધારો કરે છે. કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરની કેન્દ્રીય બેંકોએ મૌદ્રિક નીતિને સરળ બનાવી અને દરોને ખુબ ઓછા કર્યા હતા. આરબીઆઈ પહેલા જ જાહેરાત કરી ચૂકી છે કે હવે તે ધીરે ધીરે પોતાનું ઉદાર વલણ પાછું લેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here