નોન ઇમિગ્રન્ટ જીવનસાથી માટે વર્ક પરમીટના નિયમોમાં વ્યાપક સુધારા

0
771

 

અમેરિકાના વીઝા મેળવનારી વ્યક્તિના જીવનસાથી માટે વર્ક પરમીટની બાબતમાં ઐતિહાસિક સુધારા કરવામાં આવ્યા તેની ઉજવણી માટે શેરગીલમાં અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) તરફથી ઉજવણીનો કાર્યક્રમ રખાયો છે, તેમાં NPZ Law Group-VISASERVE ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સ પણ સાથી વકીલો સાથે જોડાશે. ગૃહ વિભાગ તરફથી નોન ઇમિગ્રન્ટ જીવનસાથી માટેના H-4 અને L-2  વીઝામાં મહત્ત્વના સ્ટ્રક્ચરલ સુધારા કરવામાં આવ્યા છે. આ વીઝાધારકે વર્ક પરમીટ માટે મંજૂરી લેવામાં બહુ વિલંબ સહન કરવો પડતો હતો.

આ માટે લિટિશન થયું તેમાં આખરે સફળતા મળી અને યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS)ની નડતરરૂપ પોલિસી દૂર થઈ શકી છે. આ નીતિ હેઠળ સ્ટેન્ડઅલોન અૅમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડોક્યુમેન્ટ (EAD) માટેની અરજી પેન્ડિંગ હોય ત્યાં સુધી H-4 જીવનસાથીને આપમેળે રોજગારી માટેની મંજૂરીનો લાભ મળતો નહોતો.

આ મુદ્દે આખરે સમાધાન થઈ શક્યું તે બહુ મોટી સિદ્ધિ છે અને સાથે જ તેના કારણે uscis વલણમાં પણ મોટી ઉલટફેર થઈ છે. તેના દ્વારા હવે એ સ્વીકારાયું છે કે l-2 જીવનસાથીઓને આપોઆપ જ વર્ક પરમીટ મળે છે. એનો અર્થ એ થયો કે એક્ઝિક્યુટિવ્ઝ અને મેનેજરના જીવનસાથીઓએ હવે અમેરિકામાં નોકરી મેળવતા પહેલાં આગોતરી મંજૂરી માટે અરજી કરવાની રહેશે નહીં.

NPZ Law Groupના મેનેજિંગ એટર્ની ડેવિડ નચમાન કહે છે,Today marks a historic change for L-2 વીઝાધારક જીવનસાથીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક પરિવર્તનનો દિવસ છે, જેમને હવે સ્ટેટસના આધારે વર્ક ઑથોરાઇઝેશન મળશે. AILA તરફથી લાંબા સમયથી આ બાબતમાં યોગ્ય કાયદાકીય અર્થઘટન માટેની માગણી થતી આવી હતી અને અમને આનંદ છે કે આખરે સમજૂતિ થઈ શકી છે, જેનાથી H-4 જીવનસાથીઓને પણ રાહત મળશે.

NPZ Law Groupના મેનેજિંગ એટર્ની લૂડકા ઝિમોવકેક ઉમેરે છેઃ નોન ઇમિગ્રન્ટ જીવનસાથીઓ માટેના લિટિગેશનમાં સમાધાનની જરૂર છે અને ઝડપથી સમાધાન કરવું જોઈએ તે વાત તંત્રને સમજાઈ છે તે આનંદની વાત છે.

NPZ Law Groupની ન્યુ જર્સી રેરિટેન ઓફિસના મેનેજિંગ એટર્ની સ્નેહલ બત્રા પણ કહે છે કેઃ વર્ષોથી આ મુદ્દે રજૂઆતો પછી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ માટે લિટિગેશન કરવાની વાત કમનસીબી હતી. કાયદાની સ્પષ્ટ ભાષા છતાં USCIS L-2 વીઝાધારકોને કામકાજ માટેની મંજૂરી આપવા માટે આનાકાની કરતું હતું. બીજો મુદ્દો એ હતો કે H-4 વીઝામાં તે વીઝાની મુદત પૂર્ણ થાય તે પહેલાં વર્ક પરમીટ પૂર્ણ થાય ત્યારે શું. અહીં પણ કાયદાકીય રીતે EAD આપમેળે મળવું જોઈતું હતું, તેમ છતાં તેમને ફરીથી મંજૂરી માટે રાહ જોવરાવવામાં આવતી હતી. લોકો મુશ્કેલીમાં મૂકાતા હતા અને કોઈ યોગ્ય કારણ વિના સારી આવક સાથેની નોકરીઓ છોડવી પડતી હતી, જેનાથી તેમને અને અમેરિકાના બિઝનેસ બંનેને નુકસાન થતું હતું. આખરે એજન્સી કાયદા અનુસાર વર્તવા તૈયાર થઈ તે ખુશીની વાત છે, પણ ખરું કહુ તો હતાશ થઈ જવાય તેવું હતું કે આ સરળ મુદ્દાને આટલો ખેંચવામાં આવ્યો.

અમેરિકા અથવા કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોઝ વિશે તમારા મનમાં પ્રશ્નો હોય અથવા વધારાની માહિતી મેળવવા માગતા હો તો તમે અમારા NPZ લો ગ્રુપની ઓફિસનો સંપર્ક કરી શકો છો. આ માટે201-670-0006 (x104) પર કોલ કરો અથવા માહિતી માટે [email protected] પર ઇમેઇલ કરો. વધુ વિગતો માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here