વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આઠ વર્ષ પૂર્ણ કર્યાં એ દરમ્ાિયાન સનાતન ધર્મની મજબૂતી માટે, સારૂં કામ કરવા બદલ સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંત સદ્ગુરૂ ભગવતપ્રિયદાસજી સ્વામીએ મહાત્મા મંદિરમાં વડાપ્રધાનને પ્રસાદ અને મોરપીંછનો હાર પહેરાવીને અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે સં. શિ. સહજાનંદચરણદાસજી સ્વામી અને પૂર્વ પ્રિન્સિપાલ ડી. ડી. વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા