ઉન્નાવ સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી પીડિતાનું નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં શુક્રવાર, 6 ડિસેમ્બરે મૃત્યુ થયું હતું. તેના પુર બળાત્કાર ગુજર્યા બાદ તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી. જેને કારણે તેનું 90 ટકા શરીર દાઝી ગયું હતું. ગુરુવારે રાતે પીડિતાને લકનઉથી એરલિફટ દ્વારા નવી દિલ્હીની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.ત્યારે જ તેની હાલત અતિ ગંભીર હતી. સફદરજંગ હોસિપટલમાં હાતેની પાસે હાજર રહેલા તેના મોટાભઆીને એ કહેતી હતીઃ ભાઈ, હું બચી જઈશને..હું જીવવા માગું છું. તમે આરોપીઓને છોડતા નહિ..