73માં પ્રજાસત્તાક પર્વની વેરાવળમાં આન, બાન અને સાન સાથે ઊજવણી

 

વેરાવળ: 73મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વેરાવળમાં કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેરાવળ-સોમનાથના સદભાવના ગ્રાઉન્ડમાં ધ્વજવંદન કર્યું હતું. આન, બાન અને શાન સાથે તિરંગાને સલામી આપી ગીર સોમનાથથી સમગ્ર રાજ્યના પ્રજાજનોને 73 માં પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. 

કોવીડ-19ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કોવીડ પ્રોટોકોલ સાથે યોજાયેલા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં રાજયની વિવિધ પ્લાટુનનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. ખુલ્લી જીપમાં નિરીક્ષણ વેળાએ મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ પંકજકુમાર અને પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા જોડાયા હતા. પરેડનુ નેતૃત્વ મદદનીશ પોલીસ અધીક્ષક અભિષેક ગુપ્તાએ કર્યુ હતું. 

આ પ્રસંગે રાષ્ટ્રીય બાળ પુરષ્કાર-2022 વિજેતા અને શારીરિક અક્ષમતા છતા યોગાસનમાં મહારત હાંસલ કરનારી ગુજરાતની દિકર અન્વી ઝાંઝ‚કીયાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક‚ણા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વેટરનરી ડો. પાર્થકુમાર મહેતા, પ્રકૃતિ નેચર ક્લબના યોગેશ ચુડાસમા, આગાખાન એજન્સી ફોર હેબીટાટ, ચિત્રાવડના અરવિંદ ભગવાનભાઇ મેર, વોલન્ટીયર સુરેશ બચુભાઇ બાખલખીયા અને નિતિન હરેશભાઇ રામનું મુખ્યમંત્રી પટેલના હસ્તે બહુમાન કરવામાં આવ્યુ હતું. 

મુખ્યમંત્રીના હસ્તે ગીર સોમનાથના કલેક્ટર રાજદેવસિંહ ગોહિલને નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે ‚. 2.50 કરોડનો અને જિલ્લાના ગ્રામિણ વિસ્તારના વિકાસ માટે ડીડીઓ રવિન્દ્ર ખતાલેને ‚. 2.50 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સમારોહમાં જુદા-જુદા સુરક્ષા દળોની 18 જેટલી પ્લાટુન્સ દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી હતી. આ પ્લાટુન્સમાં કોસ્ટ ગાર્ડ, આરએએફ વસ્ત્રાલ, મરીન કમાન્ડો જામનગર, જૂનાગઢ મહિલા પોલીસ પ્લાટુન, રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટુન, ગીર સોમનાથ જિલ્લા પોલીસ, ગુજરાત જેલ પોલીસ, પોરબંદર જિલ્લા પોલીસ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, જિલ્લા હોમગાર્ડ પ્લાટુન, જિલ્લા સાગર રક્ષક દળ પ્લાટુન, વિદ્યાર્થીઓની એનએસએસ પ્લાટુન, ગુજરાત શ્ર્વાન દળ, ગુજરાત અશ્ર્વ દળ અને એસઆરપી પાઈપ બેન્ડ પ્લાટુન્સ કદમ-તાલ સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.

મુખ્યમંત્રી ધ્વજવંદન કાર્યક્રમ પૂર્વે સોમનાથ મહાદેવ મંદીર પરીસરમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. બહારના રાજ્યોના દર્શનાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. કાર્યક્રમ બાદ સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની મુલાકાત લઇ વૃક્ષારોપણ કરર્યુ હતુ. તેમજ ચંદનવનની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબહેન વાજા, ધારાસભ્ય પુંજા વંશ, વિમલ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્ર ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી જશા બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા, નગરપાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડી, સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, એસ. પી. રાહુલ ત્રિપાઠી સહિતના સમાજ શ્રેષ્ઠીઓ, મહાનુભાવો જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here