નરેન્દ્ર મોદી અને રામમંદિર આંદોલન… ૨૯ વર્ષ ૧૧ મહિના બાદ આવી રહી છે તે ઘડી

 

નવી દિલ્હીઃ ૧૯૯૦ના શરૂઆતના દિવસોમાં જ્યારે લાલ કૃષ્ણ અડવાણીએ પદ યાત્રાનો પ્રસ્તાવ રાખ્યો તો પાર્ટીના તત્લાકીન મહાસચિવ પ્રમોદ મહાજને તેમને પદ યાત્રાની જગ્યાએ રથ યાત્રા કરવાનું સૂચન આપ્યું. પછી ૧૨  સપ્ટેમ્બર ૧૯૯૦ના ભાજપના મહાસચિવોની બેઠક બાદ લાલ કૃષ્ણ અડવાણીએ ત્યારે દિલ્હીના અશોક રોડસ્થિત ભાજપના મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદ બોલાવી અને ૧૨ દિવસ બાદ એટલે કે ૨૫ સપ્ટેમ્બરથી ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધી ૧૦ હજાર કિમી લાંબી રથ યાત્રાની જાહેરાત કરી હતી. 

૨૫ સપ્ટેમ્બર, ૧૯૯૦ના અડવાણી સોમનાથ પહોંચ્યા, તે પહેલા એક ટોયાટા ટ્રકને ભગવા રંગમાં બદલી દેવામાં આવ્યો હતો. ૨૫ સપ્ટેમ્બરે સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના બાદ અડવાણીએ યાત્રા શરૂ કરી. તે દિવસે ઈદનો તહેવાર હોવાને કારણે રજા હતી. આ તકે એટલા લોકો ભેગા થયા તે વાતાવરણમાં નારાનો શંખનાદ થયો હતો. 

મહિલાઓ પોતાના હાથમાંથી સોનાની બંગડી ઉતારીને દાનમાં આપવા લાગી. પુરુષ અડવાણીને તલવાર, છડીની સાથે અલગ અલગ સામાન ભેટ કરવા લાગ્યા. રથ આગળ વધ્યો તો એલ. કે. અડવાણીની બાજુમાં બે લોકો તૈનાત જોવા મળ્યા, તેમાંથી એક હતા પ્રમોદ મહાજન અને બીજા ભાજપના તત્કાલીન સંગઠન સચિવ નરેન્દ્ર મોદી. 

ત્યારથી આશરે ૨૯ વર્ષ ૧૧ મહિના બાદ નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે રામ મંદિરનું ભૂમિ પૂજન કરવાના છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ ૨૦૨૩ સુધી પૂરું થવાની આશા છે. સ્વાભાવિક છે કે તેનું ઉદ્ઘાટન પણ નરેન્દ્ર મોદી કરશે. સંભવ છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર ઉદ્ઘાટનના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવે. 

૨૦૦૯મા નરેન્દ્ર મોદીએ અયોધ્યાની નજીક આવેલા ફૈઝાબાદમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યારે લોકસભા ચૂંટણીમાં એલ. કે. અડવાણી ભાજપ તરફથી વડા પ્રધાન પદના ઉમેદવાર હતા. મોદી મતદાતાઓને પોતાની તરફ લાવવામાં સફળ ન થયા અને અયોધ્યા-ફૈઝાબાદની સીટ કોંગ્રેસે જીતી હતી. 

૨૦૧૪માં ફૈઝાબાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીની પાછળ તીર-ધનુશધારી ભગવાન રામની વિશાળ તસવીર લાગી હતી. તેમણે પોતાના ભાષણમાં રામ રાજ્યની વાત કરી, રામ મંદિર પર કંઈ ન બોલ્યા. 

૨૦૧૯ના લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરી ફૈઝાબાદ પહોંચ્યા. તેમણે અયોધ્યામાં એકપણ રેલી ન કરી. વડા પ્રધાન  તરીકે અયોધ્યા વિસ્તારમાં તેમની પ્રથમ સભા મે ૨૦૧૯મા અયોધ્યા-આંબેડકર નગર સરહદ પર સ્થિત નાના શહેર રામપુર માયામાં થઈ હતી. અયોધ્યા રામજન્મભૂમિ અહીંથી માત્ર ૨૫ કિમી દૂર છે. આજથી આશરે ૨૯ વર્ષ પહેલા રામ મંદિર આંદોલન દરમિયાન ૧૯૯૧માં નરેન્દ્ર મોદીએ એક ફોટોગ્રાફર સાથે વાત કરતા કહ્યું હતું કે, જે દિવસે રામ મંદિરનું નિર્માણ  શરૂ થશે, હું પરત આવીશ. સોશિયલ મીડિયા પર ૧૯૯૧ની મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર લેનાર ફોટોગ્રાફર મહેન્દ્ર ત્રિપાઠીએ આ ખુલાસો કર્યો છે. ત્રિપાઠીએ તે દિવસને યાદ કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની સાથે એપ્રિલ ૧૯૯૧માં અયોધ્યા આવ્યા હતા અને વિવાદિત ક્ષેત્રનો પ્રવાસ કર્યો હતો. ૫ ઓગસ્ટ તે દિવસ છે જ્યારે તેઓ અયોધ્યા પરત થઈને પોતાનું વચન પૂરું કરશે. આ દિવસ નજીક છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here