૭મી માર્ચે જૂનાગઢમાં દુર્ગા સેનાનું વિરાટ સંમેલન સાથે બ્રહ્મચોર્યાસી યોજાશે

 

ચેતના રાવલ

જુનાગઢઃ જૂનાગઢમાંથી દુર્ગા સેનાની બહેનો અતિ આનંદ ઉત્સાહ અને ઉમંગ સાથે બસ ભરીને જૂનાગઢમાં ૭મી માર્ચે થનાર મહા સંમેલનના  સંદર્ભે રાજકોટ મહિલા સંમેલનમાં હાજરી આપેલ અને રાજકોટમાં દુર્ગાસેનાની બહેનોએ  સંગઠનશકિતનાં દર્શન કરાવ્યા હતા.

જૂનાગઢમા બહ્મ્રચોર્યાસીને અને મહિલા સંમેલનને સક્રીય બનાવવા રાજકોટ મુકામે દુર્ગાસેના દ્વારા વિરાટ મહિલા સંમેલન નાગરવાડી રાજકોટ ખાતે તા. ૧૮નાં રોજ યોજાઈ ગયુ. સંમેલનમા માહિતી આપતા ભાવેશ રાજ્યગુરુએ જણાવ્યું કે દુર્ગાસેના માત્ર બે એજન્ડા ઊપર કામ કરે છે. (૧) બ્રાહ્મણની દિકરી બ્રાહ્મણના ઘરમાં જ રહેવું જોઇએ. (૨) બ્રાહ્મણસમાજની ૧૦,૦૦૦ બહેનોને સશક્ત બનાવવી. અમદાવાદથી દુર ફેકટરી બનાવવાની યોજનાની વિગત આપતા જણાવ્યું કે એપ્રીલ ૨૦૨૨ સુધીમાં પ્રોડ્ક્ટ માર્કેટમા વેચવાનું શરૂ થઈ જાય તેવુ આયોજન કરવામા આવશે.  જૂનાગઢની બ્રહ્મચોર્યાસી બાદ ફેકટરી નિર્માણ શરૂ કરવામા આવશે. ઉત્તર ગુજરાતમાં ૨, દક્ષીણ ગુજરાતમાં ૨, મધ્ય ગુજરાતમાં ૧, કચ્છમાં ૧, સૌરાષ્ટ્રમા ૨ આમ હજી ૬ સંમેલનનું આયોજન કરાશે. ભાવેશ રાજ્યગુરુએ સંગઠનની નિમણુંક ૩૦ દિવસમાં કરી દેવાની વિગત આપી હતી.

દરેક જીલ્લામાં આગામી દિવસોમાં દુર્ગાસેનાની ઓફિસ કરી દુર્ગાસેના ડોટ કોમ દ્વારા દરેક બ્રાહ્મણ પરિવારને ૧૦૦% મફત બ્રાહ્મણ યુવક યુવતીના બાયોડેટા ઊપલબ્ધ થાય તેવું આયોજન કરનાર છે.  

બ્રહ્મસમાજની અનેક બહેનોની મહેનતથી અને બહ્મસેનાનાં પદાધીકારીઓની મદદથી વિશાળ સંખ્યામા ભુદેવો ઊમટી પડ્યા હતા. આ પ્રસંગે બ્રહમસમાજની અનેક સંસ્થાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here