૫૧ શક્તિપીઠની પરિક્રમામાં જનારા ભક્તોને એસટી ભાડામાં રાહત

 

અંબાજી: ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાનાર છે. આ પરિક્રમા મહોત્સવમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો આવશે. જેને લઈ સરકાર પરીક્રમા માટે એસટી ભાડામાં ૫૦ ટકા રાહત અપાશે. અંબાજી ગબ્બર પર ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ગબ્બર તળેટીમાં આયોજન કરવામાં આવ્યું છે. અંબાજીમાં શક્તિ પરીક્રમાને લઈ સરકારે મોટો નિર્ણય કર્યો છે. પરીક્રમા માટે એસટી ભાડામાં ૫૦ ટકા રાહત અપાશે તેમજ યાત્રાના ૨૪ કલાકની મર્યાદામા લાભ મળશે. લાભ લેવા માટે યાત્રાળુ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. તેમજ આ લાભ ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી સુધી મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના લોકોને આ લાભ મળશે. ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્ર્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેના ભાગ‚પે પાંચ શક્તિરથ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ગામેગામ ફરી રહ્યાં છે અને ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રાસંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here