૨૦૩૦માં પૃથ્વી પર આવશે વિનાશક પૂરઃ ચંદ્રની કળાઓને આધારે નાસાની આગાહી

 

હવામાનમાં પલટાને લીધે પૃથ્વી પરનું હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. જેના કારણે હિમનદીઓ ઓગળી રહી છે અને ઘણા દેશોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે હવે યુએસ સ્પેસ એજન્સી નાસાએ એક અધ્યયનમાં દાવો કર્યો છે કે હવામાનમાં પરિવર્તનનું કારણ ચંદ્રની બદલાતી કળાઓ પણ હોઈ શકે છે. નાસાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે હવામાન પલટાને લીધે સમુદ્રના વધતા સ્તર સાથે વર્ષ ૨૦૩૦માં ચંદ્ર તેની ભ્રમણકક્ષાથી આગળ વધશે, જેનાથી પૃથ્વી પર વિનાશક પૂર આવશે. નાસાનો આ અભ્યાસ ૨૧ જૂને નેચર ઓન કલાઈમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત થયો છે. અધ્યયનમાં, ચંદ્ર પર હલનચલનને કારણે પૃથ્વી પર આવેલા પૂરને ઉપદ્રવ પૂર કહેવામાં આવે છે. દરિયાઇ વિસ્તારોમાં દરિયાઈ તરંગો સરેરાશ દૈનિક ઊંચાઇ કરતા બે ફૂટ ઊંચે આવે છે ત્યારે આ પ્રકારનો પૂર દરિયાઇ વિસ્તારોમાં આવે છે. ઘરો અને રસ્તાઓ બધા ડૂબી ગયા હશે અને દિનચર્યાને અસર થશે. 

નાસાના એક અધ્યયન મુજબ, પૂરની તોફાની પરિસ્થિતિઓ નિર્માણ કરવાનું ચાલુ રાખશે અને ૨૦૩૦ના દાયકાના મધ્યભાગ સુધી અચાનક અનિયમિત થઈ જશે. અધ્યયન કહે છે કે અમેરિકાના તટીય વિસ્તારોમાં તરંગો તેમની સામાન્ય ઊંચાઇ કરતા ત્રણથી ચાર ફૂટ ઊંચે ઉઠશે. અને એક દાયકા માટે આ વલણ ચાલુ રહેશે. અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પૂરની આ સ્થિતિ વર્ષભર નિયમિત રહેશે નહીં. ફક્ત થોડા મહિનામાં, આ આખી પરિસ્થિતિ સર્જાશે જે વિવિધ જોખમોમાં વધારો કરશે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ થશે

નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સએ કહ્યું કે દરિયાની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે. અવિરત પૂરને કારણે લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે અને આગામી સમયમાં આ મુશ્કેલીઓ વધુ વધી જશે. તેમણે કહ્યું હતું કે તેની કક્ષામાં ચંદ્રની સ્થિતિમાં પરિવર્તન, ગુરુત્વાકર્ષણ ખેંચાણ, સમુદ્રનું વધતું સ્તર અને આબોહવા પરિવર્તન એક સાથે વૈશ્વિક સ્તરે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું સર્જન કરશે, જેના કારણે અહીં મોટો વિનાશ થઈ શકે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here