હું ક્યારેય નિવૃત્ત થઇ નથી અને થવાની પણ નથીઃ સોનિયા ગાંધી

 

રાયપુરઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીઍ રાયપુરમાં પાર્ટીના ૮૫માં સંમેલનને સંબોધતા કહ્નાં કે હું ક્યારેય નિવૃત્ત થઈ નથી અને ટૂંક સમયમાં નિવૃત્ત થવાનો તેમનો કોઇ ઇરાદો પણ નથી. પાર્ટી સંમેલનના સમાપન સમયે અલકા લાંબાઍ કહ્નાં હતું કે મીડિયાઍ સોનિયા ગાંધીના ભાષણનું ખોટું અર્થઘટન કરવાનું બંધ કરવું જોઈઍ. જ્યારે મેં તેમને આ સમાચારો વિશે જણાવ્યું ત્યારે તેઓ હસ્યા અને કહ્નાં કે હું ક્યારેય નિવૃત્ત થઇ નથી અને હું ક્યારેય નિવૃત્ત થવાની નથી. લાંબાઍ મીડિયાને પણ વિનંતી કરી કે તેઓ સોનિયા ગાંધીના ભાષણમાંથી આવો ખોટો અર્થ ન કાઢે. આ પહેલા કોંગ્રેસ નેતા કુમારી સેલજાઍ કહ્નાં હતું કે સોનિયા ગાંધીનો મતલબ પ્રમુખ તરીકેની તેમની ઇનિંગ પૂર્ણ કરવી છે. તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની વાત કરી નહોતી. પાર્ટીના વડા તરીકેના તેમના કાર્યકાળનો ઉલ્લેખ કરતા, કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીઍ રાયપુરમાં પાર્ટીના ૮૫માં સંમેલનમાં કહ્નાં હતું કે તેઓ ખુશ છે કે તેમની ઇનિંગ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here