સુપ્રીમ કોર્ટે રાફેલ બાબત જે ચુકાદો આપ્યો, તેની પુનઃ સમીક્ષા કરવાની અપીલ ઉપરોકત મહાનુભાવોએ અરજીઓમાં કરી હતી. ઉપરોક્ત અપીલમાં કહેવામાં આવ્યું હતું કે, સરકારૈે રાફેલ યુધ્ધ વિમાનની ખરીદી કરવાનો જે નિર્ણય લીધો તેમાં યોગ્ય પ્રક્રિયા અને પારદર્શિતાનો અભાવ હતો. મોદી સરકારે પ્રાઈસ, પ્રોસિડ્યુર, પાર્ટનરની પસંદગી – આ ત્રણે બાબતોમાં યોગ્ય વલણ અપનાવ્યું નહોતું.