સંસદનું ચોમાસુ સત્ર જયારથી ચાલી રહ્યું છે ત્યારથી વિરોધપક્ષો જાતજાતના અવરોધ ઊભા કરીને કામકાજ ચાલવા દેતા નથી. પેગાસસ જાસૂસી કાંડ, મોંઘવારીઅને કૃષિ કાનૂનનો વિરોઘ કરીને વિપત્રના સભ્યો ગૃહમાં સતત ઘાંધલ- ધમાલ અને નારેબાજી કરતા રહ્યા હતા. લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષે વારંવાર ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. 19 જુલાઈથી શરૂ થયેલું સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગસ્ટે સમાપ્ત થવાનું હતું . પરંતુ આ પહેલા મંગળવારે 11 ઓગસ્ટના દિને ઓબીસી સંશોધન બિલ પસાર કરાયા બાદ લોકસભાને સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભાનું કામકાજ ગણતરીના કલાકો સુધી જ વ્યવસ્થિત ચાલ્યું હતું, પણ મોટાભાગનો સમય વિરોધપક્ષના ધાંધલ- ધમાલને કારણે વેડફાયો હતો. સમગ્ર દેશના હિતમાટે . તેમના જીવનની સુખાકારી અને સલામતી માટે કાનૂન ઘડવાની જેમના શિરે જવાબદારી છે, જેઆપણા લોકશાહી દેશની ઉચ્ચ ને સૌથી વધુ સત્તા ધરાવતી સંસ્થા છે- તે સંસદ પોતાની સર્વોપરિતાનો કેવો દુરુપયોગ કરી રહી છે, ને રચનાત્મક કાર્ય કરવા માટે જેમને પ્રજાએ ચૂંટી મોકલ્યા છે એ – પ્રજાના પ્રતિનિધિઓ અંગત સ્વાર્થ ને રાજકારણને કારણે દેશની પ્રજાનું કેવું અહિત કરી રહ્યા છે તેનું ઉદાહરણ છે.