સંસદની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવાના વિરોધમાં ભાજપના સાંસદો 12મી એપ્રિલે ભૂખ- હડતાળ કરશે.

0
947

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનતાપક્ષની સંસદીયદળની બેઠકમાં જણાવ્યું હતું કે,રાજકીય વિપક્ષો વિભાજનકારી રાજનીતિ આચરી રહ્યા છે. સત્તાધારી પક્ષ બધાને એકસાથે જોડવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે જયારે વિરોધ પક્ષ ભાજપની તાકાત વધી રહી હોવાથી નકારાત્મક રાજનીતિ આચરે છે.દલિતોના આંદોલન બાબત વિપક્ષો સરકાર પર નિશાન તાકે છે. આથી ભાજપની નીતિ અને કાર્યક્રમોથી આમ જનતાને વાકેફ કરવા માટે આગામી 14 એપ્રિલથી 5મે સુધી ભાજપના સાંસદ 20, 844 ગામડાંઓની મુલાકાત લેશે. કેન્દ્રીયપ્રધાન અનંતકુમારના જણાવ્યા અનુસાર, ભાજપ સબકા સાથ, સબકા વિકાસ યાત્રા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here