વડાપ્રદાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે જાપાનના પ્રવાસે જઈ રહયા છે. તેઓ જાપાનના વડાપ્રધાન શીંજો આબે સાથે મંત્રણા કરશે. જાપાનના વડાપ્રધાને તેમના માનમાં પ્રાઈવેટ ડિનર સમારંભનું આયોજન કર્યું છે. ભારત -જાપાન વચ્ચેના દ્રિપક્ષીય સંબંધો વધુ મજબૂત કરવાની વાત પર ભાર મૂકવામાં આવશે. મંત્રણા દરમિયાન મુંબઈ- અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન બાબત ચર્ચા કરવામાં આવશે. પોતાના જાપાન ખાતેના રોકાણ દરમિયાન તેઓ ટોકિયોમાં ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.