આણંદઃ ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી, સેટ કેનેડા અને સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ વચ્ચે CVM યુનિવર્સિટીના બોર્ડ રૂમમાં પ્રોજેક્ટ અક્ષરભુવન અંતર્ગત MOU હસ્તાક્ષર થયા હતા. MOUમાં CVM યુનિવર્સિટી તરફથી પ્રમુખ એન્જિનિયર ભીખુભાઇ પટેલે અને સ્વામિનારાયણ મંદિર વડતાલ તરફથી કોઠારી ડો. સંતવલ્લભ સ્વામી એ હસ્તાક્ષર કર્યા હતા.
આ MOU CVM યુનિવર્સિટીની ઘટક કોલેજના વિધાર્થીઓને ઉજળી તકો પુરી પાડશે.
આ MOU અંતર્ગત વિધાર્થીઓ અક્ષરભુવનની સ્થળ મુલાકાત થકી નવી કન્સ્ટ્રકશન ટેક્નોલોજી, નવી કન્સ્ટ્રકશન ટેક્નોલોજીમાં ઉપયોગમાં લેવાતી મશીનરી, મટીરીયલ્સ ટેક્નોલોજી જેવી વિવિધ આધુનિક ટેક્નોલોજીનો લાભ લઇ શકશે. નવી મટીરીયલ્સ ટેક્નોલોજી અંતર્ગત વેસ્ટ મટીરીયલ્સમાંથી બેસ્ટ મટીરીયલ્સ બનાવવાની ટેક્નિક પણ શીખી શકશે.
આ MOU અંતર્ગત ઘટક કોલેજના વિધાર્થીઓ અને પ્રોફેસરને ઇન્ટર્નશિપ, રિસર્ચ, તજજ્ઞોના મંતવ્યો અને અનુભવ, સેમિનાર, ટેસ્ટિંગ અને કન્સલ્ટન્સીનો પણ લાભ મળશે. શૈક્ષણિક અને કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સના ભાગ રૂપે હેરિટેજ સંરક્ષણ અને પુનઃસ્થાપન સંબંધિત પ્રોજેક્ટ્સને પણ વેગ મળશે.
આ કાર્યકર્મમાં CVM યુનિવર્સિટીના પ્રમુખ એન્જિનિયર ભીખુભાઇ પટેલ, માનદ મંત્રી મેહુલભાઈ પટેલ, CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોની, SMAID કોલેજના ડાઈરેક્ટર નીરવ હિરપરા, સેટ કેનેડાના સ્નેહલભાઈ પટેલ, વિવિધ ઘટક કોલેજના આચાર્યો, સ્વામિનારાયણ મંદિર વડતાલના કોઠારી ડો. સંતવલ્લભ સ્વામી, પૂજય અમૃતવલ્લભ સ્વામી, મહેન્દ્રભાઈ પટેલ, નિકિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
CVM યુનિવર્સિટીના પ્રમુખ પ્રમુખ એન્જિનિયર ભીખુભાઇ પટેલે સૌનો આભાર માન્યો હતો અને પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોનીને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.