રામ- મંદિરના નિર્માણ અંગે થઈ રહેલા વિલંબથી રામભકતોનો સમુદાય નારાજ

0
841

સુપ્રીમ કોર્ટે રામ- મંદિરના કેસની સુનાવણી તાત્કાલિક ધોરણે હાથ  ધરવાનો ઈન્કાર કરતાં રામ ભક્તોના સમુદાયમાં અને હિંદુ સંગઠનોમાં નિરાશા અને નારાજગી ફેલાઈ ગઈ હતી. આ મામલો દિન પ્રતિદિન વધુને વધુ તીવ્ર બની રહયો છે. હિંદુ સંગઠનો અને સાધુ- સંતોનો સમુદાય આ અંગે અતિ સંવેદનશીલ છે. રામ- મંદિરના નિર્માણ બાબત વટહુકમ જારી કરવાનો આગ્રહ જનસમુદાયમાં વધતો જાય છે. વટહુકમ લાવવા માટે  કોેન્દ્ર સરકાર પર દબાણ વધતું જ જાય છે.ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ વર્માએ નિવેદન કર્યું હતું કે, રામ- મંદિરના નિર્માણને જલ્દીથી શક્ય બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વારંવાર કહી ચુકયા છે કે, અયોધ્યામાં વહેલી તકે ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here