રાજ્યમાં કોરોનાનો નવા ૧૨૮૧ દર્દીઓ નોંધાયા, ૮ દર્દીના મોત

 

 

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે. બુધવારે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ ૧૨૮૧ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ ૧૨૭૪ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં બુધવારે આઠ લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક ૧,૯૧,૬૪૨ પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ ૧,૭૫,૩૬૨ છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક ૩,૮૨૩ પર પહોંચ્યો છે.

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાઇરસના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. બુધવારે રાજ્યમાં કુલ ૫૪,૨૫૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૮૩૪.૭૧ ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬૯,૭૮,૨૪૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ ૧૨૮૧ કેસ નોંધાયેલા છે. 

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં બુધવાર સુધીમાં કુલ ૪,૮૯,૨૨૨ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૪,૮૯,૧૩૬ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૮૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૨,૪૫૭ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૮૩ છે. જ્યારે ૧૨,૩૭૪ લોકો સ્ટેબલ છે. ૧,૭૫,૩૬૨ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૩,૮૨૩ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૮ લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૪, સુરત કોર્પોરેશનમાં ૨, અમદાવાદમાં ૧ અને પાટણમાં ૧ સહિત કુલ ૮ લોકોનાં મોત નિપજ્યાં છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here