અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મુસ્લિમ શબ્દ કાઢી નાખવાની ભલામણ કરતો સરકારી સમિતિનો પ્રસ્તાવ યુનિવર્સિટીના કુલસચિવ જાવેદ અખ્તરે પાછો ઠેલ્યો હતો. તેમણે સરકારી સમિતિને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, વિશ્વવિદ્યાલયનું નામ આપણને એના ઈતિહાસ, ઉદેશ્ય અને ચારિત્ર્ય વિષે માહિતી આપે છે અને તેને યથાવત સ્થિતિમાં જાળવી રાખવો એ આપણું સૌથી મોટું સંવૈધાનિક કર્તવ્ય છે.