મનીલોન્ડરિંગના મામલામાં રોબર્ટ વાઢેરાની ઈડીની  ઓફિસમાં છ કલાક સુધી પૂછપરછઃ રોબર્ટ વાઢેરાની પૂછપરછથી રાજકારણમાં ગરમાવો…રોબર્ટની સાથે તેમના ધર્મપત્ની પ્રિયંકા વાઢેરા પણ ઈડીની ઓફિસે ગયા હતા…

0
842
RAHUL FLANKED BY HIS BROTHER-IN-LAW ROBERT AND SISTER PRIYANKA REACTS DURING A MEETING OF CONGRESS PARTY LAWMAKERS IN NEW DELHI. Rahul Gandhi (R) flanked by his brother-in-law Robert Vadra (C) and sister Priyanka Vadra reacts during a meeting of Congress party lawmakers inside the central hall of Indian parliament in New Delhi May 18, 2004. Gandhi, heir to India's Nehru-Gandhi dynasty, tearfully gave up her chance to become prime minister on Tuesday to protect her new Congress government from damaging attacks over her Italian birth. REUTERS/Kamal Kishore
Reuters

મની લોન્ડરિંગના કેસમાં તપાસ કરવાના  હેતુસર પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાઢેરાની પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીના અધિકારીઓની ટીમે રોબર્ટ વાઢેરાને અનેક પ્રકારના સવાલો પૂછીને એના જવાબો માગ્યા હતા. શનિવારના દિવસે દિલ્હીની અદાલતે વાઢેરાની જામીન અરજીને ફગાવી દીધા બાદ મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ પર 16મી ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો. અદાલતે વાઢેરાને આદેશ આપ્યો હતો કે, તેઓ તપાસના કાર્યમાં ઈડીને પૂરતો સહકાર આપે. . રોબર્ટ વાઢેરા પરદેશમાં ગેરકાનૂની સંપત્તિ રાખવાના સંબંધમાં મનીલોન્ડરિંગ સાથે સંકળાયેલા મામલામાં ઈડી સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. વાઢેરાએ જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની  ગેરકાનૂની પ્રવૃત્તિમાં તેઓ સંડોવાયા નથી. માત્ર રાજકારણને લીધે જ તેમની સાથે બદલો લેવાના આશયથી આ બધું કરવામાં આવી રહ્યું છે. ઈડીના જણાવ્યા અનુસાર, લંડનસ્થિત ફલેટને ભાગેડુ ડિફેન્સ ડિલર સંજય ભંડારીએ 16કરોડ અને 80 લાખ રૂપિયામાં ખરીદી લીધો હતો. ત્યારબાદ રિટેલ કામગીરી માટે તેના પર 65,900 પાઉન્ડની વધારાની રકમ ખર્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ 2010માં ભંડારીએ અગાઉની કિંમતથી જ ફલેટ વાઢેરાનો અંકુશ ધરાવતી કંપનીને વેચી દીધો હતો. આ અંગે ઈડી દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. મનીલોન્ડરિંગના કેસને કારણે રોબર્ટ વાઢેરાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ભાજપના નેતાઓ આ મામલાને જાહેરમાં ખૂબ જ ચગાવે એવી શક્યતા છે. કોંગ્રસના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પ્રિયંકા ગાંધીની હાલમાં જ નિયુક્તિ કરવામાં આવી છે. કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરવો અનિવાર્ય છે. આથી જ રાહુલ ગાંધીએ પ્રિયંકાને ઉત્તરપ્રદેશના  પ્રભારી બનાવ્યા છે. કોંગ્રેસના અગ્રણી નેતાઓ એવું માની રહ્યા છેકે રાહુલકરતાં પ્રયંકા ગાંધી કોંગ્રેસને વધુ ફાયદો કરાવી શકશે. પ્રિયંકાનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે.રાહુલના વ્યક્તિત્વમાં પ્રભાવકતા નથી. કોંગ્રેસી નેતાઓ પ્રિયંકાને હુકમનો એકકો માને છે, એમાં રોબર્ટ વાઢેરાનું પ્રકરણ મુશ્કેલી -અંતરાય ના ઊભો કરે એવી સહુને અપેક્ષા છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here